SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩. ધારના પાછળના ભાગમાં ટેકે મૂકવાના પત્થરની પેઠે આડે પડયો. ૧૪ એટલે તેજ ક્ષણે પ્રતિમા સુખેથી પર્વત ઉપર ચઢી ગઈ. ખરેખર સિદ્ધિનું કારણ સત્ત્વ છે અને સત્ત્વથી સર્વ કંઈ જિતાય છે. ૧૪૭ જાવડિઓ વિક્રમરાજા પછી ૧૦૮મા વર્ષે તે બિંબને મૂળનાયકજી તરીકે સ્થાપ્યું. ૧૪૮ એ સમયે જ્યારે પૂર્વકાળના લેખ્યમય ભગવાનને પિતાને સ્થાનેથી ઉઠાડયા ત્યારે તેના અધિષ્ઠાયક વ્યંતર દેવોએ કપાવેશથી મહાપ્રચંડ શબ્દો કરી મૂક્યા. ૧૪૯ અને તેના ફેલાવાથી આખું ભૂમંડળ કંપી ઉઠયું, શત્રુંજય પર્વત જાણે ચીરાઈ ગયો હોય તેમ જણાવા લાગ્યું, કડિ વગેરે કારીગરે મૂર્ણિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા અને સમુદ્ર ઉછળવા લાગ્યો. ૧૫૦–૧૫૧ એ પ્રમાણે જગતમાં ખળભળાટ થયેલો જોઈ જાવડિનું અંતઃકરણ વ્યાકુળ બની ગયું અને તે લેખ્યમય પ્રતિમાની આગળ ઉભો રહીને નમનપૂર્વક વિનતિ કરવા લાગ્યો કે, ૧૫૨ હે સ્વામિ ! કારણુપૂર્વક કરાયેલા મારા અપરાધને ક્ષમા કરે. હે કૃપાનિધિ ભગવદ્ ! મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરે. ૧૫૩ આ ગરીબ કારીગરે મારી આજ્ઞાને પરવશ હતા; (અને તેથી જ તેઓએ આ કૃત્ય કરેલું છે) માટે તેઓને તમે જીવાડે. તમે તે પ્રાણીમાત્રનું હિત કરનારા છે. ૧૫૪ હે નાથ ! લોકે પ્રથમ તમારી સ્નાત્ર પૂજા વગેરે ક્રિયાઓ સદા કરશે અને પછી આ નવી પ્રતિમાનું પૂજન-અર્ચન કરશે. ૧૫૫ જાવડનાં એ વ્યવસ્થા વચન પછી વ્યંતર દેએ તત્કાળ તે કારીગરેને જીવાડ્યા, કેમકે દેવો દુર્બળને નાશ કરતા નથી. ૧૫ કે પછી શુભ આશયવાળા વજીરવામી ગુરુદ્વારા જાવડિએ શુભ લગ્નવાળા દિવસે નવી પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. ૧૫૭ એ પ્રતિમા લાવવામાં જાવડિઓ નવલાખ સોના મહેરે ખર્ચા હતી અને તેની પ્રતિષ્ઠામાં દશલાખ સેનામહોરો વાપરી હતી. ૧૫૮ તે પછી એ ( ૧૫ર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy