SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાલને વંશ. તત્પર રહેતો હતો અને પાપકર્મથી અલગ રહેતો હતો. તેથી જાણે એમ લાગતું હતું કે, ધર્મકર્મતત્પરતા એની સાથે જ જમી હતી કે શું ? ૯૦૮ કામધેનુ એના દાનથી પરાજય પામીને જ ઈન્દ્ર પાસે ચાલી ગઇ અને કલ્પવૃક્ષ તે મેરુ પર્વતમાં તપશ્ચર્યા કરવા માટે જ નીકળી પડયું (અર્થાત કામધેનુ તથા કલ્પવૃક્ષ કરતાં પણ સહજ વધારે દાતા હતા. ) ૯૦૯ વળી તેના દાનથી પરાજય પામેલા ચિંતામણી રત્નને તે ચિંતાજ થઈ પડી, (કે હવે કયાં જવું ?) આવા કારણથી તે ત્રણે પદાર્થો (કામધેનુ, ક૯૫વૃક્ષ તથા ચિંતામણિ રત્ન) પૃથ્વીને ત્યાગ કરીને હાલમાં કયાંક ચાલ્યાં ગયાં છે. ૯૧૦ સહજના નાનાભાઈનું નામ સાહણ હતું, તે સ્વભાવે સજજન હાઈને અતિ ઉજજવળ ગુણને આશ્રય હતો અને હું માનું છું કે ચંદ્રમા, એના ચશરૂપ સરેવરને જાણે એક હંસ હોય તેવો જણાતે હતો. (અર્થાત એના સમયમાં એને યશ ચંદ્ર કરતાં પણ અતિ ઉજર્જવળ હતો.૯૧૧ લેકે, સાહણને સૂક્ષ્મદર્શી કહેતા હતા પણ તે યોગ્ય નથી, કેમકે સાહણ બીજાઓના રશૂલ દોષોને પણ જોઈ શકતો નહતે. ( અર્થાત સાહણ, બીજાઓના સ્થૂલ દોષને પણ લક્ષ્યમાં લેતા નહો, તો પછી સૂક્ષ્મ દોષોને તે કેમજ લક્ષમાં લે ?) ૯૧૨ આ સાહણથી પણ નાને જે ત્રીજો ભાઈ હતો તેનું નામ સમરસિંહ હતું. તે ગુણેને લીધે પિતાને અગણિત કહેવરાવતો હતો; (અર્થાત તેનામાં અગણિત ગુણો હતા) પણ તે પોતે જ મનુષ્યમાં અત્યંત ગણત્રી કરવા યોગ્ય થઈ પડ્યો હત–ગુણોને લીધે મનુષ્ય તેને અગ્રેસર ગણતા હતા. ૧૩ વળી તેનામાં જે અપૂર્વ ગુણ (૧૩૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy