SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. વ્યાધિઓ રૂપ જળનું પૂર તરફ ફેલાઈ રહ્યું છે, માનસિક પીડાઓરૂપ જળચરજંતુઓ ચોબાજુ તેમાં વસી રહ્યાં છે, મેહરૂપી મોટી ભમરીઓમાં સંખ્યાબંધ પ્રાણુઓ ગેબ થતાં તેમાં જોવામાં આવે છે, તેના મધ્ય વિભાગમાં ક્રોધરૂપી વડવાનળ પ્રવળી રહ્યો છે, તેથી તે મહા ભયંકર છે, માનરૂપી મોટા પહાડો તેમાં આવેલા છે, જેથી મોક્ષમાર્ગમાં સ્થિતિ કરવારૂપ વહાણ તેમાં અથડાઈને છિન્નભિન્ન થઈ જાય છે, માયા–કપટરૂપ લતાઓનાં ગીચ ઝુંડ તેમાં વ્યાપ્ત છે જેથી પ્રાણીઓની સગતિ દુરસંચાર થઈ પડે છે–ખલિત થાય છે–પ્રાણુઓ સદ્દગતિએ જઈ શકતાં નથી. અને તૃષ્ણ આદિ નદીઓના પૂરથી તે સમુદ્રમાં લેભરૂપ જળને ઘ પ્રતિદિન વધતું જાય છે.૬ ૦–૭૬૩ આ સંસારસમુદ્રને તરી જવા માટે હવે તમારે અવશ્ય યત્ન કરવો જોઈએ; નહિ તે સર્વ અને સિદ્ધ કરી આપનાર મેક્ષ બેટ તમને પ્રાપ્ત થશે નહિ.૬૪ આ સમુદ્રને ઉતરી જવા માટે સર્વજ્ઞોએ આ ઉપાય કહ્યો છે કે, આમાં સંયમરૂપ વહાણ અવશ્ય મેળવવું જોઈએ અને તેને માટે સર્વ કેઈએ મહાન આગ્રહ કરવો જોઈએ.૭૫ આ વહાણ, જે કે પુષ્કળ પરિષહરૂપ લેખંડી ભારથી ભરપૂર છે તે પણ અંતે ઉત્તમ સત્ત્વને પ્રાપ્ત કરી આપનારું છે અને તેમાં પણ જો કોઈ ઉત્તમ નાવિકખલાસી-સદ્દગુરુ મળી આવે તો તે કયા મનુષ્યને આનંદજનક ન થાય?” ૭૬૬ કેવલીની એ દેશના સાંભળીને નત્તમ રાજાનું મન જે પ્રથમ રાગી હતું તે પણ એકદમ સ્થિર થઈને વિરકત બની ગયું. અથવા તેમાં અત્યંત આશ્ચર્ય ન જ ગણાય, કેમકે મુનિઓની શક્તિ સર્વ કંઈ કરી શકે છે. તે પછી નરમ રાજાએ નમસ્કાર કરી આનંદપૂર્વક કેવલીને પૂછયું કે, હે પ્રભુ! મારા પુત્રે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું હતું ? કેમકે, એ પોતાના રાજ્યને ત્યાગ કરી પોતે એકલા જ એક મિત્રને સાથે લઈ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેને ( ૧૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy