SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. પૂ. ૧૫૫ સૂરિએ તેનું શુભ પરિણામ જાણી લીધું અને સ્પષ્ટરીતે તે શ્રેષ્ઠીને તેમણે કહ્યું કે, “જા, તારા સંશયને હું અવશ્ય દૂર કરીશ.”૧૫૬ સૂરિના એ વાક્ય ઉપર શ્રદ્ધા રાખીને પેલો શ્રેષ્ઠી ઉતાવળો ઉતાવળો પિતાને ઘેર ગયો અને પાછળથી સૂરિએ પણ ધ્યાન કર્યું જેથી શાસનદેવી ત્યાં આવી પહોંચી.૧૫ દેવીએ આ પ્રમાણે વિનંતિ કરી કે, “હે પ્રભુ! વીરજિનેશ્વરની નવી પ્રતિમા હું તૈયાર કરી રહી છું, તે છ મહિનામાં તૈયાર થશે. ૧૫૮ પછી આચાર્ય મહારાજે કહ્યું કે, “હે દેવિ ! તું પોતે એ શ્રેષ્ઠીની આગળ પ્રત્યક્ષ થઈને આ સર્વ વૃત્તાંત તારા સ્વમુખે, જેવું હોય તેવું, તેની પાસે કહી સંભળાવ.”૧૫ પછી તે દેવી પણ ગુરુની આજ્ઞા પ્રમાણે ત્યાં જઈને નિદ્રામાંથી જાગ્રત થયેલા આશ્ચર્યયુક્ત મનવાળા શ્રેષ્ઠીને પ્રત્યક્ષસ્વરૂપે કહેવા લાગી કે,૧૬° “હે શ્રેષ્ઠિ ! હું શાસનદેવી પિોતે, મુની આજ્ઞાથી તારી ગાયના દૂધસ્ત્રાવનું કારણું કહેવા માટે અહીં આવી છું. માટે તું સાવધાન થઈને સાંભળ.૧૬૧ તારી ગાયના દૂધથી હું શ્રી વીરભગવાનની નવી પ્રતિમા તૈયાર કરી રહી છું; માટે પાપના સ્થાનરૂપ સંદેહને તું કરીશ ભા.૧૬૨ એમ કહીને તે દેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે મોહવશ થયેલી તે શ્રેષ્ઠી પણ પ્રાતઃકાળે ગુરુની પાસે જઈને ગુરુના ચરણમાં વંદન કરી ત્યાં બેઠે. ૧૬૩ પછી તેણે બે હાથ જોડી રાત્રે શાસનદેવીએ જે કંઈ કહ્યું તે વિષે આવો પ્રશ્ન પૂછ ૧૬ “જે કે શાસનદેવીએ જે પ્રમાણે કહ્યું છે તે તે પ્રમાણે જ હશે, પણ તે સર્વ વૃત્તાંત આપ મને કહે.” પછી ગુરુએ જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.૧૫ તે સમયે છીએ ગુરુને વિનંતિ કરી કે, “હે પ્રભુ! આપ મારી સાથે ચાલે. આપણે વીરજિનેશ્વરની પ્રતિમાને હવે બહાર કાઢીએ.” ૧૬ ત્યારે સૂરિએ પણ કહ્યું કે, એ પ્રતિમા જે કે પૂર્ણ થઈ છે (૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy