SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વેસટના વંશનું વર્ણન. રહિત થઈને સમાધિ વડે મૃત્યુ પામ્યો. ૧૧૦ એ સમયે તેને પહેલે પુત્ર અસાધર નાની વયનો હતો છતાં પણ પિતે અપારબુદ્ધિવાળો હેવાથી ઘરના ભારને તેણે ઉપાડી લીધો. ખરું છે કે, દૂસરી ધારણ કરવાને યોગ્ય થયેલ બળદ શું વયની દરકાર રાખે છે ? ૧૧૧ એક દિવસે આસાધારે પિતાની જન્મપત્રિકા દેવગુપ્તસૂરિને બતાવી અને પ્રશ્ન કર્યો કે, “ હે પ્રભુ ! હું ધનવાન થઈશ કે નહિ ?” ત્યારે આચાર્ય વિચાર કરીને કહ્યું કે, “હે ભદ્ર ! તું અ૫સમયમાં જ અપાર ધનને સ્વામી થઇશ, પણ તેં મેળવેલા ધનને જો તું ધર્મકાર્યમાં નહિ વાપરે તો એ ધન પિતાની મેળે તારી પાસેથી ચાલ્યું જશે. માટે તે અવિનાશી પુણ્ય કર્મ કરજે.” ૧૧૨-૧૧૪ તે સાંભળી આસાધરે પ્રણામ કરીને ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! મને જે ધન પ્રાપ્ત થશે તિ ધર્મ વિના બીજે કઈપણ સ્થળે તેને હું વ્યય કરીશ નહિ.” ૧૧૫આવી પ્રતિજ્ઞા કરીને તે સત્યપુરુષ, તે દિવસથી આરંભી જે કંઇ અલ્પ ધન પણ સંપાદન કરતો હતો તે સર્વને ધર્મમાં અર્પણ કરી દેતો હતો.૧૧ એક દિવસે તે, શ્રીદેવગુપ્તસૂરિને વાંદવા માટે પુણ્યરૂપ હાથીની શાળા સમાન પૈષધશાળામાં ગયો. તે વખતે ગુરુમહારાજ દેવવંદન કરતા હતા. તેમને વાંદીને ગુસેવાની ઈચ્છાથી તે ત્યાં બેઠે.૧૧૮ તે વેળા બીજા સાધુઓ ભિક્ષા લેવા માટે જ્યારે બહાર ગયા, ત્યારે કોઈ એક સાત વર્ષની કન્યા રમતી રમતી એકદમ વેગથી ઉપાશ્રયમાં આવી;૧૧૯ એટલે તે જ સમયે સત્યકા નામની દેવી તે કન્યાના શરીરમાં દાખલ થઈ, ત્યારે આચાર્ય મહારાજે પોતાના મનમાં જે જે અર્થો ચિંતવ્યા હતા તે સર્વ તે દેવીને પૂછ્યા અને તેણે તેના સર્વ ઉત્તરે પણ કહ્યા. ૧૨૦ પછી આશાધરે પણ ગુરુને નમન કરી પૂછયું કે, “મને ધન પ્રાપ્ત થશે અથવા નહિ થાય, તે વિષે પણ આપ દેવીને પૂછો.”૧૨૧ ત્યારે ગુસ્ની પ્રેરણાથી તે જગદી (૫૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy