SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત નાડી-સમૂહવાળુ, ખીડાએલા નેત્રપત્રવાળુ, ઉખેડી નાખેલા કમળની જેમ પ્રહારથી છેદાએલા ગ્રીવામ`ડલવાળું મગધરાજાનું મસ્તક શરીરથી છૂટું પડી નીચે પડ્યું. ૨૫૦ ત્યાર પછી સિધ્ધા અને ગંધર્વાએ પુષ્પવૃષ્ટિ વરસાવી. ‘મહારાજાધિરાજ ભરતા –ચક્રવતી જયવતા વર્તા ’ એવા જયજયકાર કર્યાં. પડાવ તરફ સૈન્ય પાછું ફેરવ્યુ. વાસુદેવે ત્યાં જ નિવાસ કર્યાં. કેટલાક દિવસ ત્યાં રાકાયા. શુભ દિવસે, સારા મુહૂતે રાજ્યાભિષેક કર્યાં, સ સામતાએ પ્રણામ કર્યાં. સમુદ્રવિજયાક્રિક યાદવા ત્યાં બેઠા. ત્યાર પછી તે જ પ્રદેશમાં સમગ્ર યાદવ નરેન્દ્રમડળે આનદ-મહાત્સવ કર્યાં કેવી રીતે?-- અતિશય ચમકતા મુગટમણિએની ફેલાયેલી કાંતિના સમૂહવાળુ, ચારે બાજુ ફરતા ભુજદ’ડના સુવર્ણાભૂષણની ચંચળ ઘુઘરીએના સમૂહથી શબ્દાયમાન, વેગના લીધે ઉછળતા દ્વારા અને આભૂષણાના શબ્દવાળુ યાદવ નરેન્દ્રના આનંદથી થતું સુંદર નૃત્ય શૈાભા પામતું હતું. ત્યાર પછી ભક્તિપૂર્ણ માનસવાળા યાદવરાજાઓએ ત્યાં ભગવંતની પ્રતિમા સ્થાપન કરીને અરહેતાસનક' નામનું જિનમંદિર કરાવ્યું અને · આનંદપુર ’ નામનું નગર વસાવ્યું, જે ત્યાં આજે પણ પ્રસિધ્ધપણે પ્રત્યક્ષ આળખી શકાય છે. : . ત્યાર પછી તે પ્રદેશમાંથી વાસુદેવે ભાજરાજાને કેટલાક દેશ સહિત મથુરા આપ્યું. તેની સાથે લાગેલાં ગામેા સહિત હસ્તિનાપુર પાંડવાને આપ્યું. બીજા રાજાએને પણ જેને જે ચાગ્ય રાજ્યા હતાં, તે આપીને સામત રાજાઓની મસ્તકમાળાઓથી પાદયુગલમાં નમન કરાતા વાસુદેવે પોતાના દેશ તરફ પ્રયાણ કર્યું. સુખપૂર્વક માગમાં પડાવ નાખતા નાખતા પેાતાની નગરીએ પહેાંચ્યા. ત્યાર પછી કંપતા પટ્ટાંશુકોના અનાવેલા તબૂએમાં લટકી રહેલ મેાતીઓની માળાઆથી યુક્ત વીંઝતા મનેાહર ચામરના ચંચળ અગ્રભાગથી મનોહર, ઊંચે ખાંધેલી ફરકતી ધ્વજાની શબ્દ કરતી ઘુઘરીઓ અને ઘંટડીઓના સમૂહથી રમણીય, ઉડતા ઉજ્જવળ ચીનાઈ વસ્ત્રાના વિવિધ વાંથી શાભાયમાન, વેરેલાં અનેક પુષ્પાના ઉપચારની ગંધથી આકર્ષાએલા ગુંજારવ કરતા ભ્રમરકુલથી યુક્ત, ખળતા અગરના કાઇથી નિરંતર નીકળતા ધૂમથી શ્યામલ ના થયેલ ધ્વજચિહ્નવાળી, કસ્તૂરી, કેસર, ચંદન, ઘનસાર મેળવી અત્યંત સુગ'ધિત કરેલા જળથી સિ'ચિત ઠેકાણે ઠેકાણે ઉત્તમ કમલપત્રોથી આચ્છાદિત કરેલા જળપૂર્ણ કળશે વાળી, શણગારેલી દુકાનેાથી વિશેષ શાભતી દ્વારકા નગરીને વિભૂષિત કરીને ઉત્પન્ન થયેલ અનુરાગવાળા અને જયજયકારના કોલાહલ કરતા, દ્વારદાપુરીના નગરજને વાસુદેવનુ સ્વાગત કરવા સન્મુખ જતા હતા. ત્યાર પછી જ્યાતિષીઓએ નિરૂપણ કરેલા શુભ તિથિ-નક્ષત્ર-મુહૂત-સમયે જેટલામાં નગર- દરવાજે પહોંચ્યા, તેટલામાં અનેક કુતૂહલપૂર્વક એકઠી થયેલી નગરસુંદરીઓના દેહથી રોકાઈ ગયેલ રાજમાગ વાળા, રાજમાગ માં ઉદ્ભટપણે પરસ્પર એકઠા થતા ધક્કા ચકી કરતા, અભિમાની, મામાં આગળ વધવા ન દેતા અશ્વસવારાવાળા, અશ્વસવારોએ અટકાવેલ ગજવારાના તીક્ષ્ણ અંકુશથી રાકેલા હાથીવાળા, શ્રેષ્ઠ હાથીના મહાગ રવના શબ્દથી ત્રાસ પામેલા રથના અશ્વોથી દુ†મ એવા રાજમાગે અતિ મુશ્કેલીથી વાસુદેવ જવા લાગ્યા, એટલે ઊંચા દંડવાળું ઉજજવળ છત્ર ધરેલું હોવાના કારણે, તથા બે માજુ ચંચળ ચામર વીતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy