SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ • સંગીતિ કરતો, તેને ક્રૂરમાં ક્રૂર પ્રાણી પણ મારી શકતું નથી. ૨૭ સત્ય વિના બીજું કોઈ પણ તત્ત્વ, સામે ધસી આવતી મૃત્યુની સેનાને રોકી શકતું નથી, માટે અસત્યને તજી દેવું જોઈએ. સત્યમાં અમૃત ભરેલું છે. ૨૮ “સત્યનો સાચો મહિમા સમજીને માનવીએ સત્યવ્રતનું આચરણ કરવું જોઈએ, સત્ય-યોગમાં તત્પર થવું જોઈએ તથા સત્યશાસ્ત્રના અનુગામી બનવું જોઈએ, દાત્ત થવું જોઈએ અને સત્ય વડે જ મરણને જીતવું જોઈએ. ૨૯ અમૃત અને મરણ એ બને આ માનવદેહમાં જ રહેલાં છે. મોહને લીધે મરણ આવે છે અને સત્યને લીધે અમૃત સાંપડે છે. ૩૦ માટે હે પિતાજી ! હું અહિંસક બનીશ, સત્યાર્થી થઈશ, કામ અને ક્રોધને મારી મનમાંથી બહાર કાઢી મેલીશ, દુઃખ અને સુખમાં સમદષ્ટિ રહીશ. આ રીતે ક્ષેમવાળો થઈને અમર્યની (દવની) પેઠે હું મૃત્યુને તજી દઈશ. ૩૧ મારો પશુયજ્ઞ કે નરયજ્ઞ નહીં હોય, હું તો શાંતિના યજ્ઞમાં તત્પર બનીશ, મારી ઇંદ્રિયો અને દેહને અંકુશમાં રાખીશ. એ રીતે બ્રહ્મયજ્ઞમાં સ્થિર એવો મુનિ થઈશ તથા પ્રણવજપનો મારો વાણીયજ્ઞ ચાલશે, ગુરુસેવા વગેરે સદનુષ્ઠાનોનો મારો કર્મયજ્ઞ ચાલશે, મનનો જય કરવાનો મારો મનયજ્ઞ પ્રવર્તશે. એ રીતે હું દેવયાનના માર્ગમાં ચાલીશ. ૩૨ “જેમાં પશુઓને મારી નાખવામાં આવે છે એવા ઘોર હિંસક પશુયજ્ઞો વડે મારા જેવો ભાનવાળો સાવધાન થયેલો મનુષ્ય શા માટે યજ્ઞો કરે એટલે કે દેવોની પૂજા કરે ? “એ હિંસક યજ્ઞો તો નાશવાન છે, માટે હું પિશાચની પેઠે એવા યજ્ઞો શા માટે કરું ? ૩૩ જેના વાણી અને મન હમેશાં બરાબર સ્વસ્થ છે, જે તપ કરે છે, ત્યાગ કરે છે અને સત્યને આચરે છે, તે ખરેખર બધું જ પામે છે. ૩૪ “વિઘા જેવી કોઈ બીજી આંખ નથી, સત્ય-વચન જેવું કોઈ બીજું તપ નથી, રાગ જેવું બીજું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું બીજું કોઈ સુખ નથી. ૩૫ હે પિતાજી, હું પ્રજા વગરનો રહીશ છતાં આત્મનિષ્ઠ બનીશ, આત્મામાં જ પરાયણ રહીશ. પ્રજા મને તારી શકે એમ નથી, અર્થાત્ પુત્રોત્પત્તિથી મારું ત્રાણ થઈ શકે તેમ નથી. ૩૬ સર્વત્ર અભેદવૃત્તિ, સમતા અને સત્ય વાણી, શીલ, સ્થિરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy