SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) દક્ષિણમાં આવેલા દેવગિરિમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવા અર્થે હીરવિજયસૂરિ (ત વખતના હીરહર્ષ), ધર્મસાગરજી અને રાજવિમલજી બે ત્રણ સાથેજ ગયા હતા, અને સાથેજ ભણીને ગુરૂવર્ય-ગચ્છાધિરાજ વિદાનસરિ પાસે આવ્યા હતા. વિજયસૂરિએ આ ત્રણ પૈકી હીરહર્ષને આચાર્ય પદવી આપીને હીરવિજયસૂરિ નામ આપ્યું કે જેમાં ધર્મસાગરજીએ પિતાની અનુમતિ આપી હતી. આ ધર્મસાગરને સં. ૧૬૧૭ માં જિનશાસનમાંથી બહિષ્કૃત કર્યા. - ધર્મસાગરજી સંબંધમાં થોડું ઘણું “કવિવર સમયસુંદર” પરના નિબંધમાં કહેવાઈ ગયું છે; ડુંક અહીં પ્રસ્તુત લઈએ તો “ધર્મસાગર ઉપાધ્યાયે કુમતિકાલ નામને એક નવું ગ્રંથ બનાવી નવે પંથ માંડવા પ્રયત્ન કર્યો. તેઓ પિતાનાં વખાણ અને બીજા પક્ષની નિન્દા કરવા લાગ્યા. તેમના ગ્રંથમાં ધર્મથી ઘણું વિપરિતપણું જોવામાં આવ્યું અને તેવી પરૂપણ પણ કરવા લાગ્યા. આ વાતની જ્યારે વિજયદાનસૂરિને ખબર પડી, ત્યારે તેમણે વીસનગર આવીને, નગરના ઘણા લોકોની સાક્ષીએ તે ગ્રંથને પાણીમાં બેળાવી દીધો. ગુરૂ આજ્ઞાથી આ ગ્રંશ સૂરચંદ પંન્યાને પાણીમાં બે હતો. ” આમ સામા પક્ષના દર્શનવિજય પિતાના વિજયતિલકસૂરિ રાસમાં જણાવે છે. જ્યારે સાક્ષરશ્રી મુનિ જિનવિજયજીએ એક સ્થળે જણાવ્યું છે કે “મહાન મુગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં ઉત્તમ આદર પ્રાપ્ત કરનાર જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિના શાસનકાલમાં તપા ગચ્છમાં જે અનેકાનેક પ્રોઢ પંડિતે થઈ ગયા છે તેમાં ધસાગર ઉપાધ્યાય સૌથી પ્રથમ નામ લેવા ગ્ય છે. તેઓ પોતાના સમયના ઉત્તમ વિદ્વાન અને લેખક, અપ્રતિમ લાગણી અને જુસ્સાવાલા, રવસંપ્રદાયના અસાધારણ અભિમાની અને અન્યમતાસહિષ્ણુ હતા. તેમના શિષ્યસમુદાય પણ મોટી સંખ્યાનો હતો અને પ્રમાણમાં વિદ્વત્તા પણ તેમાં યથેષ્ટ હતી. ઉપ પ્યાયનો સ્વભાવ ઉગ્ર અએવ નીડર અને તેથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy