SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લિકાલસર્વજ્ઞ પ્રભુ પરમાત્માને ઉદ્દેશીને કહે છે કે, “તમારી પૂજા કરતાંય મારી આજ્ઞાનું પાલન વધુ મહત્ત્વનું છે. તમારી પૂજાથી મુક્તિ મળે એ વાત માચી; પણ મુક્તિ મળે જ એવો એકાંત નથી. મળેય ખરી અને ન પણ મળે. રિંતુ તમારી આજ્ઞાના પાલનથી તો અવશ્ય મુક્તિ મળે જ; કારણ કે, તમારી નાજ્ઞાપાલનમાં મુક્તિ આપવાની સંપૂર્ણ શક્તિ છે. જે વ્યક્તિ જેટલા અંશે આજ્ઞાપાલન કરે છે, આજ્ઞાને આરાધે છે, તેને તેટલા અંશે સુખપ્રાપ્તિ થાય છે અને મુક્તિ એની નિશ્ચિત થાય છે; અને જે વ્યક્તિ નાજ્ઞાપાલનની જેટલા અંશે ઉપેક્ષા કરે, જેટલા અંશે વિરાધના કરે, તેટલા અંશે દુઃખી થાય અને તેનું ભવભ્રમણ વધે છે. શ્રીસંઘના સભ્ય તરીકે આપણે બધા આજ્ઞા સાથે બંધાયેલા છીએ. જગતમાં પરમાત્માના સાધુ તરીકે અમારે જીવવું હોય અને પરમાત્માના શ્રાવક તરીકે મારે જીવવું હોય તો અમારી અને તમારી પહેલી ફરજ પરમાત્માની આજ્ઞાને રિસાવંદ્ય કરીને યથાશક્ય જીવનમાં આરાધવી-આચરવી તે છે. દેરાસરમાં પ્રભુની પૂજા કરવા જનાર વ્યક્તિને માટે પ્રભુ કરતાં આ નિયામાં કોઈ ચડિયાતું નથી. આમ છતાં એ પ્રભુની પૂજા કરતાં પહેલાં પોતાના લિાટે તિલક-ચાંલ્લો શા માટે કરે? પ્રભુની આજ્ઞા શિરસાવંઘ કરવા માટે જ .? પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવ્યા વિના પ્રભુને સ્પર્શવાનો પણ અધિકાર ળિતો નથી, તો પછી આજ્ઞાને સ્વીકાર્યા વિના શાસનનાં અંગોની-સાતક્ષેત્રોની નક્તિ-વહીવટનો અધિકાર કઈ રીતે મળે ? અમારે અને તમારે કોઈ પણ બંધન તોય તો એક જિનાજ્ઞાનું. શ્રીજિનાજ્ઞાનું બંધન જે સ્વીકારે તેને કર્મસત્તા કે જગત ધી ન શકે. જે જિનાજ્ઞાનું બંધન ન સ્વીકારે તેને કર્મસત્તા તો બાંધે જ પણ ગતમાં કોણ કોણ એને ન બાંધે એ સવાલ છે. આજ્ઞા ઓછી-વત્તી પાળી શકાય એવું બને, પણ આજ્ઞાના આદરમાં તોછાવત્તાપણું ન જ ચાલે. यतना धर्म की माता है, यतना धर्म का पालन करनेवाली है, यतना धर्म की वृद्धि करनेवाली है । यतना एकांत सुख લાની સૈા - धर्मबिंदु પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy