SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દયાપાત્ર ક્ષેત્ર છે. એ ક્ષેત્રમાં ભક્તિથી નહિ પણ દયા-કરુણાથી આપવાનું છે. જૈનશાસનમાં આ બે કાર્યો પોતાની કરુણાભાવનાની રક્ષા માટે અને શાસનપ્રભાવના માટે કરવાનાં કહ્યાં છે. સઘળાય જીવોને અને અન્યધર્મીઓને પણ જૈન ધર્મ તરફ આદર-બહુમાનની લાગણી પેદા થાય અને દુઃખી જીવોના દુઃખને જોઈ, તેની ઉપેક્ષાથી આપણા હૈયાના કોમળ પરિણામ નિષ્ફર ન બની જાય એ માટે આ કાર્યો કરવાનાં હોય છે. જીવદયામાં બધા જ જીવોની દયાનો સમાવેશ થાય છે. પશુઓ, પક્ષીઓ, જળચરો વગેરે બધાં એમાં આવે. પશુઓમાં પણ ગાય, ભેંસ, ઊંટ, હાથી, બકરી, ભૂંડ, કૂતરા જેવા તમામ પશુઓનો સમાવેશ થાય છે. માત્ર ગાયની જ દયા કરવી, બીજા જીવોની નહિ, એમ આપણે જૈનો નથી માનતા. આપણા માટે તો દરેક જીવતો જીવ એ જીવ જ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો પણ જીવ છે. એ સ્થાવર જીવ છે, જ્યારે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિક્રિય અને પંચેન્દ્રિય જીવો એ ત્રસ જીવ છે. પંચેન્દ્રિયમાં જળચર, સ્થળચર અને ખેચર એ ત્રણે આવે. એ દરેકની રક્ષા કરવાની છે. અર્થાત્ જળના માછલા જેવા જીવો, સ્થળના ગાય-બકરી જેવા જીવો અને આકાશના કબૂતર જેવા જીવો : એ દરેકની દયા, રક્ષા કરવાની છે. જેટલા પણ જીવ છે, તેમનાં કષ્ટ-નિવારણ, દુઃખ-નિવારણ, મોતનિવારણનો એમાં હેતુ હોય છે. જેટલા પણ જીવો કતલખાને લઈ જવાતા હોય એમને બચાવવા જોઈએ. જેટલા રુણ હોય, રોગી જીવ હોય એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. દુષ્કાળમાં ઠેર ઠેર ચારા-પાણીની શોધમાં ભટકતા અને અકાળે મરતા જીવોને પણ બચાવી લેવા જોઈએ. બધા જ દીન જીવોની દયા કરવાની આપણી ભાવના હોવી જોઈએ, પણ શક્તિ ન હોય તો આપણી સન્મુખ જેટલા પણ જીવ આવે તેમની દયા તો અવશ્ય કરવી જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સાતક્ષેત્રના દ્રવ્યમાંથી એક પૈસો પણ नाकारतात पदार्थ (तत्त्वज्ञान) के चितन से जो श्रद्धालुता का आश्रय करता है, हमेशा जो पात्रों में (सात क्षेत्रों में) धनों को बोता है, सुसाधु की सेवा द्वारा जो पापों को नष्ट करता है उसे भी પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy