SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાને આરાધી છે એ જ કારણ છે, અને આપણા જીવનમાં ક્યાંય દુ:ખ આવ્યું હોય તેમાં પણ આ ભવમાં કે પરભવમાં ક્યાંક ભગવાનની આજ્ઞાની વિરાધના કરી છે, એ જ કારણ છે. શ્રી જિનેશ્વરદેવો સર્વજ્ઞ હતા, સર્વદર્શી હતા, અનંત કરુણાના સ્વામી હતા. જગતના પ્રત્યેક જીવો દુ:ખથી મુક્ત બની શાશ્વત સુખના સ્વામી બને, એ જ એમની ભાવના હતી. એમણે એ જ એક આશયથી ધર્મશાસનની સ્થાપના કરી અને એનો જ ઉપદેશ આપ્યો, એ ઉપદેશને જ આપણે આજ્ઞારૂપે સ્વીકારવાનો છે. તમે જે પણ જવાબદારી તમારા શિરે સ્વીકારી છે, એ જો આજ્ઞાપાલનના એક ભાગરૂપે હોય તો જ તેની શ્રી જૈનશાસનમાં કિંમત છે. એ જ આજ્ઞાપાલનના ભાગરૂપે ન હોય તો તેવી પ્રવૃત્તિની શ્રી જૈનશાસનમાં ફૂટી કોડીની કિંમત નથી. જો અમને પણ આજ્ઞાપાલનનો ભાવ ન હોય તો અમારા સંયમજીવનની પણ કશી કિંમત નથી, તો પછી આજ્ઞાપાલનના ભાવ વગરની તમારી પ્રવૃત્તિઓની કિંમત ક્યાંથી હોઈ શકે ? અમારે અમારી પ્રત્યેક બાબતો જિનાજ્ઞાને અનુરૂપ છે કે નહિ તે જોવાનું છે. જો હોય તો આનંદ, ન હોય તો તે બાબતમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવાનો. તેમ તમારે પણ તમારી પ્રત્યેક બાબતો જિનાજ્ઞાનરૂપ છે કે નહિ તે જોવાનું છે, જો હોય તો આનંદ માનવાનો, ન હોય તો તેને અનુરૂપ જીવન બનાવવા પ્રયત્ન કરવાનો. આજ્ઞા ન સમજવાના કારણે, આજ્ઞા પ્રત્યે અજ્ઞાન હોવાના કારણે, અજાણતાં કાંઈક આજ્ઞાવિરુદ્ધ થઈ જાય તો તે હજુ ઝાઝું નુકસાન નહિ કરે, પ્રાયશ્ચિત્ત કરવાથી તેની શુદ્ધિ થઈ શકે; પરંતુ આજ્ઞાની ઉપેક્ષા કે અનાદર હોય, બધા કહે તેમ કરવું, પછી ભગવાનની આજ્ઞા ભલે બીજી હોય; આ રીતનો જેનો ભાવ હોય, તે વ્યક્તિ સર્વસ્વની પણ ન્યોછાવરી કરે તો પણ તેની કશી કિંમત નથી. એથી એનું કલ્યાણ નહિ થાય. આટલું નક્કી થયા બાદ ભગવંતની આજ્ઞા કઈ કઈ તેની જ માત્ર જાણકારી કરી. जैसे खानाजहर के योगसे जहर बनजाता है, दूध में छाछ मिलने पर वह खट्टा बन जाता है, उसी प्रकार खुद के धन में बड़ों की संपत्ति (देवद्रव्य आदि) मिल जानेपर स्वधन भी वैसा ही बनजाता है ।(अतः सभीखातों की थैली एक न रखें, सबका वहीवट अलग करें ।) - शत्रुजय माहात्म्य પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy