SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આપી શકે પણ અમને એકાદ વાક્યમાંય હિતશિક્ષા આપે તો અમે જરૂર પોતાને ભાગ્યશાળી માનીશું. છેવટે પૂજ્યશ્રીને વાત કરી. તેઓશ્રીએ એક જ વાક્યમાં હિતશિક્ષા આપી. “જે વિષયમાં તમે પૂરું જાણતા ન હો તે વિષયમાં તમારે ક્યારેય કોઈપણ અભિપ્રાય ન આપવો” સમજ્યા ? આજે મારે પણ તમને એક ટૂંકી હિતશિક્ષા આપવી છે. માત્ર ત્રણ જ શબ્દો આપવા છે : ૧ – આજ્ઞા, ૨ - વિધિ અને ૩ - જયણા આ ત્રણને પકડીને તમે ચાલશો તો તમારું કલ્યાણ જ કલ્યાણ છે. આ ત્રણની ઉપેક્ષામાં અકલ્યાણ છે. શ્રાવકના ઘરમાં તો જયણા એ જ મંગલ છે. જેના જીવનમાં જયણા નહિ તેના ઘરમાં કે જીવનમાં મંગલ નહિ. સમજ વિનાની જયણાની, આજ્ઞા વિનાની કે આજ્ઞા નિરપેક્ષ એવી કહેવાતી જયણાની, કશી જ કિંમત નથી. માટે બધામાં આજ્ઞા-જિનાજ્ઞા જ ચડિયાતી છે. આજ્ઞા અને વિધિ સાથે જયણાનો સંબંધ અને સુમેળ રચાય તો જૈનશાસન આજેય જયવંત બની જાય. જાત માટે ક્યારેય ઢીલું મૂકવું નહિ અને જિનાજ્ઞાની વાત આવે ત્યાં ઢીલું મૂકવું કે મૂકવાની વાત કરવી, એ આજના જમાનાની ફેશન થઈ ગઈ છે, જે બિલકુલ યોગ્ય નથી. આપણે ત્યાં તો વ્યક્તિગત રીતે પોતાની જાતનો કોઈ વિચાર કરવાનો નથી અને જિનાજ્ઞાની બાબતમાં ક્યાંય બાંધછોડ કરવાની નથી” એ વિચાર છે. આ રીતે “સુખસ્વજનથી લઈને “આજ્ઞાપ્રધાન સુધીના બાર ગુણ જેનામાં હોય તે વ્યક્તિ શ્રીસંઘનું સંચાલન-વહીવટ કરવા માટે અધિકારી છે. જેનામાં આ ગુણો ન હોય, જેની આ ગુણો મેળવવાની દરકાર પણ ન હોય તે તેના માટે સર્વથા અનધિકારી છે. આ માટે દરેકે પોતાની જાતનું નિરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. देवद्रव्य से जो स्वधन की वृद्धि की जाती है, एवं गुरुद्रव्य से जो धन ग्रहण किया जाता है, वह धन कुल के नाश हेतु होता છે, વં મને પર વદ નર મેં ગીતા - નિત્ય પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy