SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તમને આપી દીધી, તેનો તમારે ઉપયોગ કરવાનો છે. એક ભાંડો પણ ખરીદવાનો હોય તો તમે તપાસ કરો. ચાર કાછિયાને ત્યાં ભાવ કઢાવો પછી ખરીદો. એક ધર્મના ક્ષેત્રમાં જ તેમને પરીક્ષા કરવી પાલવતી નથી. આ બારમો આજ્ઞાપ્રધાન ગુણ શિખરના કળશરૂપ છે. દેરાસર બની જાય પણ કળશ - ઇંડું ન મુકાય ત્યાં સુધી એ પરિપૂર્ણ નથી ગણાતું. તેમ અગિયાર ગુણ આવ્યા બાદ પણ આ બારમો ગુણ હોવો-આવવો ખૂબ જરૂરી છે. અધ્યાત્મસારમાં અધ્યાત્મધ્યાનયોગની પ્રાપ્તિના ૩૩ ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમાં પણ પહેલાં આ જ વાત બતાવવામાં આવી છે. निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ।। પહેલાં આગમતત્ત્વનો નિર્ણય કરવાનો, તેનાથી લોકસંજ્ઞાને જીતવાની અને એ રીતે લોકસંજ્ઞાને જીતીને આગમવચન ઉપર શ્રદ્ધા કેળવવાની; અને એ આગમવચનની શ્રદ્ધાના સહારે સાચા-ખોટાનો, કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક કરવાપૂર્વક યોગીએ હંમેશાં અધ્યાત્મને મેળવવા પ્રયત્ન કરવાનો છે. ધર્મશાસ્ત્રોમાં ઠેર ઠેર જિનાજ્ઞાપાલન અને એ માટે ધર્મશાસ્ત્રનું અનુસરણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. નાની કે મોટી કોઈ પણ ધર્મક્રિયા કરવી હોય કે ધર્માનુષ્ઠાન કરવાનું હોય, વહીવટી ક્ષેત્રનું કોઈ પણ કાર્ય હોય કે અનુશાસનની કોઈપણ પ્રવૃત્તિ હોય, સાતેય ક્ષેત્રનું દ્રવ્ય ઉત્પન્ન કરવાનું હોય કે એની વૃદ્ધિ કરવાની હોય, તે દ્રવ્યનો કોઈપણ કાર્યમાં વિનિયોગ કરવાનો હોય કે વિનિયોગ થતો અટકાવવાનો હોય, દરેક વિષયમાં જિનાજ્ઞાને જ મહત્ત્વ આપવાનું છે; અને એ માટે દરેક બાબતમાં ધર્મશાસ્ત્રોનો સહારો લેવાનો છે. એની ઉપેક્ષા કરતા વર્ગને કે વ્યક્તિને ટેકો આપવો કે એના મૂક સાક્ષી બનવું, એ પણ મોટામાં મોટો અપરાધ છે. ધર્મક્ષેત્રનો વહીવટ કરનારે આ વાત ક્યારેય ભૂલવા જેવી નથી. उन्मार्ग की देशना देनेवाला जसे दर्शनमोहनीय कर्म बांधता है, अथवा १-जिनेश्वरका,२-मुनिकाएवं,३-संघकादुश्मनजैसे दर्शनमोहनीय कर्मबांधता है, ठीक वैसे ही देवद्रव्य आदि धर्मद्रव्यों का विनाश करने में मूढ व्यक्तिदर्शनमोहनीय कर्मबांधता है। - द्रव्यसप्ततिका છે. જ છેકે પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy