SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રોમાં તંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન આવે છે. એ માટે મોટો આલાવો લખાયો છે. તેમાં - દ, દિયા, પુછિયા, વિછિયા, દયનીવાડનીવા ... આમ કહી અંતે અનેક પ્રકારોના દેવોનાં નામ લખી, “રેવેદિ પિ સવાળા ' એ દેવોથી પણ ચલાયમાન નહિ થનારા, એમ જણાવ્યું છે. એમનું જ્ઞાન કેવું હશે ! ભગવાનના સમવસરણમાં જતા-આવતા એ શ્રાવકોને વચ્ચે છએ દર્શનના વાદીઓ પણ મળતા અને પ્રભુના શાસન પ્રત્યેની શ્રદ્ધાથી એમને ચલિત કરવાનો પ્રયત્ન કરતા. તે વખતે તે શ્રાવકો એમની સાથે વાદ કરી એમને નિરુત્તર કરતા. આજે તો અમારા આ શ્રાવકો... છાપામાં કાંઈક આવે અને એમને ફાળ પડે. સાહેબ ! વૈજ્ઞાનિકો આમ કહે છે અને તેમ કહે છે. તો પછી આપણાં શાસ્ત્રોમાં જે કહ્યું છે, એનું શું? શું એ બધું ખોટું તો નહિ હોય ને ? સાહેબ! વૈજ્ઞાનિકોને ખોટી વાત કરીને શું ફાયદો ?' એને પૂછું કે, તો શાસ્ત્રકારોને ખોટી વાત કરીને શું ફાયદો ? તો એનો એની પાસે કોઈ જવાબ ન હોય. આજનું સાયન્સ પોતે કહે છે કે, અમને જેટલું દેખાયું તેટલું જ અમે કહીએ છીએ, કાલે બીજું દેખાશે તો તે કહીશું. અમારી વાત સો ટકા સત્ય છે કે એ અંતિમ સત્ય છે એમ માનવાની કોઈ જરૂર નથી. વૈજ્ઞાનિકોનાં સાધનો મર્યાદિત છે, તેમની શક્તિ મર્યાદિત છે. મર્યાદિત સાધન-શક્તિથી દેખાયું તેને જ સો ટકા સત્ય માની લેવું એ કેવી અંધશ્રદ્ધાળુતા? આ લોકો અમારા ધર્માત્માઓને અંધશ્રદ્ધાનું કહે છે. હું પૂછું છું કે દેખતા માણસ પર શ્રદ્ધા રાખે તે અંધશ્રદ્ધા કે આંધળા માણસ પર શ્રદ્ધા રાખે તે અંધશ્રદ્ધા ?' કરી , जैनशासन की वृद्धि करनेवाले एवं ज्ञानदर्शन गुणों की प्रभावना करनेवाले ऐसे देवद्रव्य की वृद्धि करनेवाला जीव तीर्थंकरपना पाता है। - संबोध प्रकरण પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy