SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જાઓ, અમે ચાર મહિના અમારા ગુરુદેવની ભક્તિ કરીશું. ચોમાસું પૂરું થયે તમને પાછા બોલાવી લેશું' એ પ્રદેશમાં મુસાફરી માટે ખચ્ચર વપરાતું. બધાએ એકમતીથી વાત સ્વીકારી લીધી અને ઘરે જતાં એક એક ખચ્ચર લઈ ગયા. આંગણે ખચ્ચર બંધાણું, ત્યાં જ ઘરવાળીને ધ્રાસકો પડ્યો. કોઈ લગ્ન વગેરે નથી તો ખચ્ચર કેમ ? શું કોઈ માઠા સમાચાર આવ્યા ? ત્યાં શ્રાવકોએ બધી વાત કરી. પિયર જવાની વાત આવી ત્યાં બધી ડાહીડમરી થઈ ગઈ અને ગુરુભગવંતની ભક્તિ સાચવવાની જવાબદારી સ્વીકારી. એ શ્રાવકોના હૈયે ગુરુ પ્રત્યે કેવો ભાવ હશે ત્યારે આ બન્યું હશે!પત્ની કરતાંય ગુરુ વધારે લાગ્યા હશે ત્યારેબન્યું હશે ને ? ઘરના વ્યવહાર કરતાં ગુરુસંબંધી વ્યવહાર વધારે લાગ્યો ત્યારે જ આ બન્યું ને ? આ ગુરુપૂજનની વાત ચાલી રહી છે. નેતૃત્વ સક્ષમ હોય તો બધા જ રસ્તા નીકળે. અનુપમાદેવી જેવાં જ્યાં હોય ત્યાં તેમનું નેતૃત્વ ઘરમાં હોય તે ખોટું નથી; કેમ કે ધર્મની બાબતમાં એમની બુદ્ધિ ઘણી આગળ હતી. પણ તમારી નામર્દાઈના કારણે સ્ત્રીઓનું વર્ચસ્વ થાય તો તે ખોટું જ છે, તે ન થવું જોઈએ. શિખરજીની રક્ષાની વાત લઈ કલકત્તાના કેટલાક શ્રાવકો અમદાવાદ આવ્યા હતા. લાલભાઈ શેઠને શિખરજી પધારવા વિનંતિ કરી. શેઠ જાય તો જ શિખરજીનું કામ થાય એમ હતું. શેઠે ગમે તે કારણે ધરાર ના પાડી દીધી. આવેલા આગેવાનોના મોઢાં પડી ગયાં. શેઠનાં મા ગંગામાને આ વાતની ખબર પડી. એમણે એ લોકોને કહ્યું “તમે ચિંતા ન કરશો. એ શેની ના પાડે ? જરૂર આવશે.” શેઠ પેઢીથી ઘરે આવ્યા, જમવા બેઠા અને ગંગામાએ ભાણામાં પાણી (પાષાણ) મૂક્યો. શેઠ ચોંક્યા, “આ શું છે ?' ત્યારે માએ લાલ આંખો કરી કહ્યું કે તેં શિખરજી માટે ના પાડી? શરમ ન આવી?” શેઠ ભૂલ સમજી ગયા. તરત પગે પડી માની માફી માંગી. કહ્યું, “મા! હું જરૂર જઈશ.” અને છેવટે જઈ સુરક્ષાનું કાર્ય કર્યું. આમ, સ્ત્રીઓ પણ પોતાનાં વર્ચસ્વનો ઉપયોગ કરતી. ત Rધ કરી શકે તો मूल्य (नकरा) दिए बिना श्री जिनेश्वर के (मंदिर के) चामर, छत्र, कलश आदि उपकरणों को जो अपने कार्य में इस्तेमाल करता है, वह मूढ व्यक्ति दुःखी बनता है। - द्रव्यसप्ततिका પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy