SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ओसन्नोऽविय दुविहो... टीका પૂ. આચાર્યશ્રી ભાવદેવ સૂરિ મ.સા. એ સાધુ જીવનની આચરણા પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરવાથી કર્મબંધ ઢીલા થાય છે. આ વાત આગળ રાખીને સ્વચ્છંદતા મુજબ જીવન થઇ ન જાય. તે માટે આ ગ્રંથની રચના કરી છે. અવસન્ન વિહારી છતાં આજ્ઞા મુજબ ચાલવાનો પ્રયત્ન કરે તેને નિર્જરા થાય અને સુલભ બોધિ થાય એ વાત જણાવે છે. થાય પ સૂત્ર પોરિસ પછી અર્થ પોરસિમાં સ્પષ્ટ જ્ઞાન થાય. આમાં ચરણ-કરણ સિત્તરીની મર્યાદાનું પાલન બતાવાય. શારીરિક અશક્તિ વિગેરેના કારણે સંયમજીવનની મર્યાદાઓનું શુદ્ધ પાલન ન થાય તો પણ શુદ્ધ પ્રરૂપણા દ્વારા પણ આ શાસનની આરાધના આ કાળમાં પણ થાય છે. કોઇ આત્મા ઉપબૃહણા ન કરે પ્રરૂપણામાં ફેર કરે અને આ કાળમાં તો આવું જ બને એમ બોલનાર આત્મા દુર્લભબોધિ છે અને તેને નિર્જરા ન થાય. પરંતુ ચારિત્રની મર્યાદામાં કદાચ ઢીલો હોય તો પણ અર્થનું મહત્વ સમજે, આજ્ઞા જાણે આરાધક આત્માઓની ઉપબૃહણા કરે અને શુદ્ધ માર્ગની પ્રરુપણા કરે તો અવસન્ન પણ નિર્જરા કરી શકે. અવસન્ન એટલે શું ? અવસન્ન એટલે નીચે બેસી જવું. નીચે બેસવું એટલે ? ``ક્રિયા શૈથિત્યાત્ મોક્ષમાર્ગે ત્રાન્ત વ’′ ક્રિયાની શિથિલતાથી મોક્ષમાર્ગમાં સિદાઇ જાય આજ્ઞા પાલનમાં ગરબડ કરે. અર્થાત્ છતી શક્તિએ આગળ ચાલે નહીં. મનનો ઉત્સાહ પડી ભાંગે. એમ માનસિક શિથિલતાની ખામી જ ક્રિયાને ડહોળી નાંખે વાચના-૫૫ Jain Education International For Private & Personal Use Only ૧૫૬ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy