SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડી પણ આગળ-પાછળ હોય તેથી દોષ લાગે. સાંજે પડિલેહણ ત્રીજા પ્રહરની સમાપ્તિ વખતે છે. માટે ત્યારે “બહુ પડિપુન્ના પોરસી'' નો આદેશ છે. સવારે પડિલેહણમાં આ આદેશ નથી. રાત્રીના ૪ થા પ્રહરે સૂર્યોદયના પહેલાં બે ઘડી સુધી સ્વાધ્યાય કરે. સામાચારીનું પાલન જીવનમાં હોય તો સંયમ દીપી ઉઠે. પૂજ્ય સાગરજી મ. ની ૧૯૪૭ માં દીક્ષા થઈ છ માસના અલ્પ પર્યાયમાં ગુરુનો વિરહ થયો છતાં સામાચારીની મહત્તા એમના જીવનમાં કેટલી ? ઉદેપુરમાં ૨ માઇલ દૂર એક દરબારના મહેલમાં ચોમાસુ કર્યું. શાસ્ત્રાજ્ઞા મુજબ ગોચરી પાણી લાવે. ત્રીજા પ્રહર પોરસીમાં ૨૫ માઇલ દૂર જતા. સામાચારીના પાલનથી શાસનનું બલ મળે. પૂર્વભવની આરાધના કારણ છે; પણ એ બળ સામાચારીનું પાલન હોય તો પ્રગટ થાય. અપવાદનું વારે-વારે સેવના કરે. સામાચારીનું અપાલન હોય તો દેવો ક્યાંથી આવે ? એ તો સારૂ છે કે દેવો સમ્યગ્દ્રષ્ટિ છે. જો મિથ્યાત્વી હોય તો દાંડો લઇને પાછળ પડત. એક ગામમાં સ્થાનકવાસીઓનું જોર વધારે. ૧-૧ વર્ષના જ દીક્ષાપર્યાયના કારણે તેઓમાં સંસ્કૃતમાં અભ્યાસ ઓછો પણ ટબ્બા, રાસ વિગેરેના આધારે શાસ્ત્ર પાઠ પણ આપે. ત્યાં પૂજ્યશ્રીએ ૧રપ ગાથાના સ્તવનના આધારે જિન પૂજાદિનું સચોટ જ્ઞાન આપ્યું. તેથી ત્યાં એક શ્રાવકે પૂજા ભણાવી. આ અરસામાં પાલીમાં એક સ્થાનકવાસી સાધુ જાહેરમાં જિનપૂજાનું ખંડન કરે. પત્થરતો એકેન્દ્રિય છે. આ એકેન્દ્રિયની પૂજાથી શું લાભ ? શું પત્થરની ગાય દૂધ આપે ? આવી વાતોથી આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. આનો સામનો કરવો જ પડે. નહીં તો ઘણા પૂજા-દર્શન બંધ કરી સ્થાનકવાસી બની જાય એવી સ્થિતિ સર્જાઇ, આથી પાલીના શ્રાવકોએ પૂજ્યશ્રીને વિનંતી કરવા ગયા. પણ પૂજ્યશ્રી એકલા હોવાથી ના કહી. શ્રાવકોનો અત્યંત આગ્રહ અને એ લાભાલાભનું કારણ હોવાથી હા' પાડવી પડી ર0 વર્ષની નાની વયમાં આગમજ્ઞાતા એઓશ્રીએ 'ઘો મંત્ર’’ ને મંગલા ચરણમાં સંયમના અધિકારમાં દેશવિરતિ અને સર્વવિરતિનું વિશેષ સ્વરૂપ જણાવ્યું. તથા ૧રપ ગાથાના સ્તવનના પાઠ, ઉવવાઈ, ભગવતીજીના પાઠ આપ્યા. એ સ્થાનકવાસીના સાધુને ગામમાંથી ભગાડ્યા. આવા મહાપુરુષ છતાં જાહેરમાં, સ્વદોષ કહેતા “એકલા રહેવાની જિનાજ્ઞા નથી” દિવસના ત્રણ પ્રહર અધ્યયન સ્વાધ્યાય કરતા સામાચારીનું પાલન એમના જીવનમાં કેટલું હતું ? વાચના-પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy