SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં જ આર્તધ્યાનના કારણે નવી અશાતા બાંધી છે. તેની સામે અહીંના રોગ બુંદ સમાન છે. સહન કરી લઇએ તો ઘણી અશાતા તૂટે અને નવી ન બંધાય. પણ અહીં જો બુંદસે ગઇ વો હોજસે નહીં સુધરતી આ વાત સનત્ મુનિના હૈયે સ્થિર હતી. શ્રી ભદ્રગુપ્ત સ્વામી ભગવંત કહે છે કે, “છ કારણે આહાર ન લેવો. અને છે કારણે આહાર લેવો.” રોગ ઉભો થાય તો એને શમાવવા ક્રમશ: આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ કરે, નેચરોપથીમાં રોગ શમન માટે ઇન્ટરનલ વોશીંગ તંત્ર દ્વારા આવીજ પદ્ધતિ અપનાવી છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગ આવે ક્યારે ? શરીરમાં ખરાબી પેસે તો એનો ધક્કો મારવા રોગ આવે. ખરાબ મશીનમાં ખોરાક ન નંખાય જો પચાવવાનું કાર્ય ન થાય અને હોજરીમાં નાંખો તો બગાડ જ થાય. માટે જ ઢોર ને કુદરતી (સમજણ ?) સેન્સ હોય છે કે માંદગીમાં ઘાસ ખાય જ નહીં. સમ્રા સંપ્રતિએ ત્રણ લાખ-દવાખાના પશુઓ માટે કરાવેલ પણ, એ તો ગળે ઉજરડા પડ્યા હોય, નખ વધે અને કાપે નહીં, ચાંદા પડ્યા હોય વિગેરે માટે જ દવાખાના હતા. આજે તો ઢોરને પણ કેન્સર થાય, ક્ષય રોગ (ટી.બી.) વિગેરે રોગો થાય છે. અને પૂર્વકાલમાં પણ ઢોરોના દવાખાના હતાં' એમ જાહેર થાય છે. બાકી એ અંદરનું પોઇજન ન નિકળે ત્યાં સુધી ઘાસ ખાતા નથી. સાધુને એકાદશી, દ્વાદશીકી દાદી બની જાય તો ઉપવાસ ન કહેવાય. ઉપવાસ એટલે ? ઉપ = પાસે, નજીક વાસ = રહેવું, વસવું પરમાત્માની આજ્ઞાની પાસે રહેવું તે ઉપવાસ. આત્માને સમજાવવાનો છે કે- “આહાર કરવો એ તારો ધર્મ નથી, પુદગલનો ધર્મ છે. આહાર વિકૃતિ છે. અણાહારી પદની નજીક જવું તે ઉપવાસ”, “ઉપવાસ કરી પારણાની આઇટમો વિચારવી એ વાસ્તવિક નથી. માટેજ, ઉપવાસ સ્વાર સમાન છે. માણસ સ્વઘરમાં રહી શકે એવી શક્તિ ન હોય તો મિત્રના ઘરે રહે. વિકારી વાસનાનું નિયંત્રણ અને શરીરનું પોષણ આયંબિલ થી થાય છે. વિગઈ એ શત્રુનું ઘર છે. રોગને ઉત્પન્ન કરનાર, વિષયની વાસનાને પોષણ આપનાર વિગઇને બંધ કરી, આયંબિલ-ઉપવાસ કરવાથી નવા રોગો અટકી જાય. આજે અમેરિકા, જર્મની, વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy