SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પામી મનુષ્યત્વને વૃથા કાં ગમો છો ? કુશીલે કરી દેહને કાં દમો છો ? નહિ મુક્તિવાસ વિના વીતરાગ, ભજો ભગવંત તો દૃષ્ટિરાગ. ॥૬॥ ૨૪૪ ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહ વુઠ્યા, પ્રભુ પાર્શ્વશંખેશ્વરો આપ તુક્યા. II|| (૮૯), શ્રી પાર્શ્વનાથજીનું ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાશ, વામા માતા જનમીયા, અહિ લંછન જાસ... ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાય, કાશી દેશ વાણારસી, પુણ્યે પ્રભુ આય... ૨ એકસો વરસનું આઉખું, એ પાળી પાર્શ્વકુમાર, ‘પદ્મ' કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર... ૩ (૯૦) શ્રી મહાવીરસ્વામીજીનું ચૈત્યવંદન સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાનો જાયો, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો ... ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય, બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાય... ૨ ખીમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત, સાત બોલથી વર્ણવ્યો, ‘પદ્મ' વિજય વિખ્યાત... ૩ (૯૧) શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન શ્યામલ વાન સોહામણા, શ્રી નેમિ જિનેશ્વર; સમવસરણ બેઠા કહે, ઉપદેશ સોહંકર ||૧|| પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પંચ માસનો, એ છે તપ પરિમાણ, ॥૨॥ જિમ વરદત્ત ગુણમંજરીએ, આરાધ્યો તપ એહ; ‘જ્ઞાનવિમલ’ગુરુ એમ કહે, ધનધન જગમાં તેહ. ॥૩॥ CARRERERERERERERCARRERA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્ષણ કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy