SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ અશરણ-સૂત્ર શિલ્પવિદ્યા, ઔષધિવિદ્યા વગેરે જુદી જુદી જ્ઞાનશાખાઓને લગતી આધુનિક કે પ્રાચીન વિદ્યાઓ પણ બગડતા મનુષ્યને શી રીતે બચાવે? પાપપ્રવૃત્તિઓમાં ખેંચી ગયેલા જેઓ માત્ર એવી એવી ભાષાઓના જ્ઞાનનો ફાંકો રાખી વા માત્ર એવી એવી વિવિધ વિદ્યાઓ પોતાને આવડે છે એવો ઘમંડ રાખી પોતાની જાતને પંડિત માને છે – વિવેકી વા જ્ઞાની સમજે છે તેઓ નર્યા બાળ જીવો છે – અજ્ઞાની પ્રાણીઓ છે. ૧. અજ્ઞાની - સરખાવો ધમ્મપદ પાંચમા બાલ વર્ગનો ત્રીજો શ્લોક: पुत्ता मत्थि धनं मत्थि इति बालो विहति । अता हि अत्तनो नत्थि कुतो पुत्ता कुतो धनं ? || अर्थात् पुत्रो मारा छे, धन मारुं छे अम समजी समजीने बाल जीव - अज्ञानी प्राणी तरफड्या करे छे. खरी वात तो अम छे के ज्यां पोते ज पोतानो नथी तो पछी पुत्रो अने धन पोतार्नु केवी रीते थई शके? ૨. ગા. ૧૬૭ - સરખાવો હ મ ઈ. “આ દુનિયાનો મોહ રાખવો (તેને અપનાવવી) એ જ બધાં પાપોનું મૂળ છે” (પૃ ૧૪૦). ૩. આ શરીર - સરખાવો ધમ્મપદ અગિયારમો પરાવર્ગ લો. ૩, ૪: पस्स चित्तकतं बिंब अरुकायं समुस्सितं । आतुरं बहुसंकप्पं यस्स नत्थि धुवं ठिति ।। परिजिण्णमिदं रूपं रोगनिड्डं पभंगुरं । भिज्जति पूतिसंदोहो मरणंतं हि जीवितं ।। જુઓ તો ખરા કે આ શરીરનું બીબું વિચિત્ર રીતે ઢાળેલું - ઉપસાવેલું, ગૂમડાંવાળું, રોગી, બહુસંકલ્પવાળું અને જેની સ્થિતિ ચોકકસ નથી એવું છે તથા આ બીબું જીર્ણ છે, રોગનો માળો છે, ક્ષણભંગુર છે અને ગંદકીનો ઢગલો છે. તે નાશ પામી જવાનું છે. જીવનનો અંત જ મરણ છે. ૪. કે કરેલા - આ ૧૭૦મું તથા ૧૭૮મું બને પદ્યો વિવેક વગરની માત્ર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy