SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ ૩૯૯ રિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તા પશુ રાજાની મદદ ન છતાં અને કાઈની પાસેથી ફરમાને ન ળવ્યા છતાં આજના વિદ્વાન સાધુએ હેમચંદ્ર અને હીરવિજયના માને આ યુગમાં નજીક આણી શકે. મહાન પયગમર ૨૫૦૦ વર્ષોં પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચ્ચા વસે છે, ત્યાં ત્યાં બધે જ પોતાની જીંદગીમાં એક જ સાથે અહિંસાના સંદેશા પહોંચાડનાર અને પેાતાની અહિંસા વૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કાણુ છે? એ પ્રશ્નના ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હેાય એમ તમે કહેશે। ખરા ? આનું કારણ શું ? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી આધેા, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રૂસ, તેમ છતાં તે અહિંસાના મંત્રદૃષ્ટા ક્રમ કહેવાય છે? એનાં કારણેા તરફ અમારિ ધમના પ્રેમીઓએ નજર ઘડાવવી જોઈએ. કારણ એ છે કે એ પેાતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતા; પણ એને પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાના છે. એ વિશ્વયા કે કાયની સંપૂર્ણ ધ્યામાં માનવા છતાં તેને પાળવાના કૃત્રિમ દાવા નથી કરતા. એણે તે અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે, અને તેમાં પણુ પોતાના દેશવાસીઓથી પહેલી કરી છે. કારણકે એ જાણે છે કે ‘ દૂર તે તા દૂર જ છે. અને નજીકનાના ખ્યાલ ન કરાય તેા અને દૂર જ પડી જવાના. ' એણે કાઈ રાજા મહારાજા કે સત્તાધીશા પાસેથી દયાનાં ફરમાન મેળવવાના યત્ન નથી કર્યાં; પણ એનું વાક્ય જ યાનું ફરમાન અની ગયું છે. કારણ એ છે કે તે માનવ જાતને અકારી થઈ પડેલ અને માનવજાતને ભાગ લેતી એવી લડાઈનાં જ મૂળ ઉખેડવા માગે છે. અને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે નથી ક્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy