SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જપ અહિંસા અને અમારિ સમાન જ છે, તેમ છતાં આપણે સામાજિક અને સ્થળ ભૂમિકાના લે છીએ, આપણે આપણું કર્તવ્ય અને આચરણનો પડઘો સાંભળવા હંમેશાં આપણું પોતાના કાન ઉઘાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લોકો ઉપર શી છાપ પડી અથવા લેકે ઈચ્છે તેમ આપણે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં તેજાર હાઈએ છીએ, એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણું સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે ઊંમત અંકાવવા ઈચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈપણ જીવ જાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે અજાણે કે ઈચ્છાએ અનિચ્છાએ પહેલી ફરજ પડે છે. તમારી સામે ત્રણ માણસે છે એવી કલ્પના કરે. એક જણ ગળીના શીકારી પંજામાંથી સેંકડો માખોને બચાવે છે અગર તો કાબરની કઠોર ચાંચમાંથી હજારે કીડા મટેડાને બચાવે છે. બીજે બગલાની ચાંચમાંથી માછલીઓને અગર તે શીકારીની જાળમાંથી હિરણોને છોડાવે છે. ત્રીજે કઈ લુંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દો તમારી સામે હોય તેમાં છેલા કરતાં પાછલ્લાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે જીવોનો બચાવ થાય છે એ દેખીતું છે. છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કોની વધારે સારી અસર થશે? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કેને શ્રેષ્ઠ કહેશો ? અથવા તો કેની દયાની વધારે કીમત આંકશો ? હું ધારું છું દરેક જણ વગર સાચે મનુષ્યને અચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવા. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલ છે કે જે મનુષ્ય જાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે. (1) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તે તે પિતાની જાતિ ઉપરાંત બીજી જીવ જાતિઓની પણ ખૂબ સેવા કરી શકે છે. જ્યારે મનુષ્ય સિવાયનું કાઈ પ્રાણ તેમ કરવા અસમર્થ છે. (2) મનુષ્ય એ બીજા કેઈ પણ જીવધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy