SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અનુભવ પણ તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું ? ભગવદ્ગીતા કહે છે કે— જે મનુષ્ય ઇંદ્રિયાના વિષયાને આહાર આપતા નથી, તેનાથી તે વિષયા દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જાય છે. ઇંદ્રિયાના વિષયેાથી દૂર ભાગવાથી વાસનાના ઉપશમ થાય છે, પણ તેના ક્ષય થતા નથી. સંસારી મનુષ્ય વિષયેામાં રચ્યાપચ્યા રહે છે અને તિ સંસારથી ભય પામી વિષયાથી દૂર ભાગે છે. બંનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારા કે તમે ભાજન કરવા બેઠા છે, થાળી સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા બેઠા છે!, તમારા હાથ શીખંડ તરફ્ લખાવવાની છેલ્લી પળમાં છે. તે વખતે તમે તે શીખ ́ડના વાડકો ભાણામાંથી બ્હાર મૂકી દો. તમારી જા ઈંદ્રિયને ધણું દુ:ખ થશે. તે વખતે તે ઇંદ્રિયને જણાવા કે હું તારા સ્વામી છું અને તને આજ્ઞા કરૂં છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયાગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઈંદ્રિયની આસક્તિ ઓછી થતી જશે. જ્યારે તમે કાઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને એઠા ડેા, ઉત્તમ ભજન લલકારાતું હોય તે વખતે ઉભા થઈને ચાલવા માંડેા. આ રીતે તમે શ્રવત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશે. આવી રીતે પાંચે ઇન્દ્રિયાના સંબંધમાં સમજપૂર્વક પ્રયાગ કરેા, અને તમે તેમના પર જય મેળવી શકશે. અને આ પ્રયાગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સભાવે તેમજ અભાવે તમે એક સરખી મનેાવૃત્તિ રાખી શકશેા. આપણને આપણા પેાતાના બળની આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શત્રુને મેદું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈ એ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા માગતા હે, તે વાસનાને ક્ષુદ્ર ગણેા. એક મહાપુરુષે સેતાનનેમેાહ રાજાને કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy