SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા અને વેગળા રહીએ છીએ આપણે પોતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલે જ કે ભગવાનને માનસિક વિટંબણાઓ એમના જીવનનાં તોફાનો, અને એમનું દિલ આસુરી વૃત્તિનું યુદ્ધ, એ જ આપણું જીવનમાં છે. ફેર હોય તે એટલે જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઈચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યાં ભગવાને એ બધું કર્યું. અને જે જાણે, ઈચછે અને પ્રયત્ન કરે છે વસ્તુને મેળવે તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમનો પરિવાર કેટલો હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છેડયું કયાં ક્યાં ફર્યા, કેણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા યા દેવી બનાવો બન્યા, કે કેટલા રાજાઓ ચરણમાં પડયા, કેટલા ચેલા અને ચેલીઓ થયા, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામ કર્યા, જ્યાં નિર્વાણ પામ્યા, વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું પણ સમરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કાર પૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળ અને મેળવી શકીએ. ત્યારે આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી? એ પ્રશ્ન થશે. ઉત્તર ઉપર દેવાઈ તો ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ, એમના જીવનની ઘટનાઓ, ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણું જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઉંડાણથી જોયા કરવું. ચમત્કારે, દૈવી ઘટનાઓ અને અતિશયોની વાત પાછળનું યથાર્થ રહસ્ય, આપણું જીવનને સામે રાખી, ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી તરત ધ્યાનમાં આવશે. એ ધ્યાનમાં આવતાં જ ભગવાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy