SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધંમકવર્ગ છે, તે મિથ્થા સંકલ્પી–બાટા વિચાર રાખનારા કદી પણ સારને સમજી શકતા નથી. ૧૧ જે સારને સાર સમજે છે અને અસારને અસાર સમજે છે, તે સમ્યક સંક૯૫વાળા-સાચા વિચાર રાખનારા સારને સત્વર સમજી શકે છે. ૧૨ જેમ વરસાદ, ખરાબ રીતે છાજેલા ઘરને સાંસ વધી નાખે છે, તેમ ભાવના વિનાના * ચિત્તને રાગ સાંસ વધી નાખે છે. ૧૩ - જેમ વરસાદ, સારી રીતે છાજેલા ઘરને સંસરું વીંધી શકતા નથી, તેમ સારી ભાવનાવાળા ચિત્તને રાગ સાંસ વીધી શકતો નથી. ૧૪ પાપી માણસ આ લેકમાં શોક કરે છે, પરલોકમાં શેક કરે છે–અન્ન લેકમાં શોક કરે છે અને તે પાપી પિતાનાં દુષ્ટ કર્મોને જોઈને શક કરે છે તથા વિનાશ પામે છે. ૧૫ પુણ્ય કરનાર માણસ આ લોકમાં પ્રમાદ કરે છે, પરલોકમાં પ્રમોદ કરે છે. બન્ને લોકમાં પ્રમોદ કરે છે અને તે પુણ્ય કરનારો માણસ પોતાનાં વિશુદ્ધ કર્મોને જોઈને પ્રમોદ કરે છે, વધારે પ્રસન્નતા અનુભવે છે. ૧૬ પાપી માણસ આ લોકમાં સંતાપ પામે છે, પરલોકમાં સંતાપ પામે છે–બન્ને લોકમાં સંતાપ પામે છે. વળી, તે મેં પાપ કર્યા છે” એમ જાણીને સંતાપ પામે છે, અને * અમુક પ્રકારના ચિંતનની–મનનની ટેવનું નામ ભાવના છે. આત્મસંબંધે શુભસંકલ્પ કરવાની ટેવ તે સુભાવના, અને ધન, સ્ત્રી વગેરે સંબંધી મમતાપૂર્વક રાગદ્વેષયુક્તપણે ચિંતન કરવાની ટેવ તે દુર્ભાવના. સુભાવનાવાળું ચિત્ત સુભાવિત કહેવાય અને દુભવનાવાળું ચિત્ત દુર્ભાવિત અથવા અભાવિત કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy