SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તે સમ્યફ સંબુદ્ધ અરહંત ભગવંતને નમસ્કાર ધર્મનાં પદો-ધમ્મપદ સરળ અનુવાદ સહિત [‘ધમ્મપદ”ની રચના બૌદ્ધ ગુરુએ કરેલ છે તેથી એમાં બૌદ્ધધર્મના કેટલાક પારિભાષિક શબ્દો વપરાયેલા છે. એવા પારિભાષિક શબ્દોનો ખુલાસો આપ જરૂરી છે. તે ઉપરાંત ધમ્મપદની કેટલીક માર્મિક ગાથાઓનું વિવેચન કરવું પણ જરૂરી છે. “ધમ્મપદ'ના પ્રસ્તુત અનુવાદને વાંચનાર દરેક ભાઈ-બહેન આ ખુલાસા અને વિવેચન ઉપર નજર નાખશે, તો તેઓ આ અનુવાદને વિશેષ સરલતાથી અને સ્પષ્ટતાથી સમજી શકશે.] . આ ગ્રંથની પહેલી જ પંક્તિમાં લખેલું છે, કે – તે સમ્યફ સંબુદ્ધ અરહંત ભગવંતને નમસ્કાર.” આ વાક્યના “સમ્યફ સંબુદ્ધ', “અરહંત” અને “ભગવંત” એ ત્રણે શબ્દોનો ખુલાસો આ પ્રમાણે છે: સમ્યક-સાચી રીતે, સંબુદ્ધ-બોધ પામેલા અર્થાત જેઓ સાચી રીતે બોધ પામેલા છે તે સમ્યફ સંબુદ્ધ. અરહંત-પૂજનીય, પૂજાપાત્ર. જૈનપરંપરામાં પણ “અરહંત' શબ્દ પ્રસિદ્ધ છે અને એને અર્થ પણ આ જ છે. ભગવત એટલે અસાધારણ એશ્વર્યાવાળે. આમ આ ત્રણે શબ્દો વ્યાપકભાવને બતાવે છે; છતાં અહીં તે ત્રણેને ભગવાન બુદ્ધનાં વિશેષરૂપે સમજવાનાં છે અથવા ભગવાન બુદ્ધના પર્યાયરૂપે સમજવાનાં છે. “તે” એટલે પૂર્વે થઈ ગયેલા. ધ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy