SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લઈએ, એ માટે મહાભારત, ગીતા અને જૈનસૂત્રોનાં વચનો જેટલું જ આ ધમ્મપદ' પણ આપણને ઉપયોગી નીવડે એવું છે. આ અનુવાદનું નામ સરલ–અનુવાદ છે. જે ભાષામાં ધમ્મપદ મૂળ લખાયેલ છે, તે ભાષાની વાક્યરચના અને ચાલુ ગુજરાતીની વાયરચનામાં વિશેષ ભેદ છે; તેમાં ય પદ્યની ભાષા કરતાં ગદ્યની ભાષામાં વળી વિશેષ તફાવત હોય છે. એ દૃષ્ટિએ આ અનુવાદમાં કોઈ કોઈ સ્થળે શબ્દની કે ક્રિયાપદની વધઘટ કરવા જેટલી છૂટ લેવી પડી છે; અને ભાષાની એજનામાં મૂળ શબ્દોને ક્રમ પણ બદલો પડેલ છે. આવા ગ્રંથના જેમ જેમ વિશેષ અનુવાદ થાય અને તે પણ જુદા જુદા અભ્યાસીઓ દ્વારા, તેથી વાચકોને વિશેષ સુગમતા થવાનો સંભવ છે; એટલે ધમ્મપદના એક બે કરતાં ય વધારે અનુવાદો ઈચ્છવાજોગ છે. વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનાના સંસ્કારે રેડવાની દૃષ્ટિએ આનો કે આવાં બીજાં વ્યાપક પુસ્તકોનો સરળ અનુવાદ તેમને સારુ સ્વાધ્યાયને રૂપે જાય એ વિશેષ ઊંચિત છે. આ ગ્રંથની યોજના પ્રમાણે “ભારતની વ્યાપક વાણી” એશિયમને મહાઘોષ” એવા એવા અનેક ગ્રંથની રચના કરાવવી આવશ્યક છે. ભારતની વ્યાપક વાણમાં વેદ, ઉપનિષદ, આરણ્યક, ગીતા. મહાભારત, ભાગવત અને યોગવાસિષ્ઠ આદિથી તથા જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકામાંથી વ્યાપક ભાવવાળા ગદ્ય કે પદ્ય વચનોનો સંગ્રહ રહેવો જોઈએ અને સાથે તેને સરલ અનુવાદ પણ રહેવો જોઈએ. આ ગ્રંથ એક ભાગમાં ન સમાઈ શકે, તો તેના ચાર-પાંચ ભાગ થવા જોઈએ. પછી “એશિયાનો મહાઘોષ” એ ગ્રંથમાં ઉપર જણાવેલાં શાસ્ત્રો ઉપરાંત જરથુસ્ત ધર્મગ્રંથોમાંથી, બાઈબલ અને કુરાનમાંથી પણ ગા વા પદ્ય વચનેને સંગ્રહ તેમનાં સરળ અનુવાદ અને સમજૂતી સાથે રહેવો જોઈએ. આવા પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy