SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બૌદ્ધપરંપરાનો આ ધમ્મપદગ્રંથ વાચકોની સામે જ છે. એટલે એમાંથી કોઈ વચન લઈને અહીં આપતો નથી, બાકી, ઉપર મહાભારતમાં અને “આચારસંગ’માં જે ભાવનાં વચનો કહ્યાં છે, તે જ ભાવનાં વચનો ધમ્મપદ માં ભર્યાં પડ્યાં છે; એટલે વાચક પોતાની મેળે જ એની તુલના કરી શકશે. ઉપર આપેલાં વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાઓનાં વચનોથી એ સ્પષ્ટ થાય છે, કે આપણે મહાકવિના કહેવા પ્રમાણે એ ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથો સમગ્ર ભારતવર્ષના મનનો પરિચય આપે છે. આર્ય ભાષાઓના પ્રવાહે જુદા જુદા ફંટાયા છે; છતાં કંઈ પણ પ્રખર ભાષાશાસ્ત્રી તે જુદા જુદા પ્રવાહનું પરસ્પર તેલન કરીને એમ કહી શકે એમ છે, કે એ તમામ આર્ય ભાષાઓના મૂળમાં એક જ પ્રવાહ કામ કરે છે; તેમ ધર્મના પ્રવાહે જુદા જુદા ભલે ફંટાયા અને તેનાં બાહ્ય કલેવર ભલે વિરૂપ થઈ ગયાં, છતાં તે બધાના મૂળમાં એક શ્રેયનિષ્ઠા અથવા આત્મનિકા કામ કરી રહી છે એમ કોઈ પણ ધર્મપ્રવાહનો મર્મસ્પર્શી અભ્યાસી કહી શકે એમ છે; અને આમ છે માટે જ આપણે એક બીજા પ્રવાહને ઓળખવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અને આપણું માનસિક કે દુન્યવી શાંતિ માટે સર્વધર્મ સમભાવની ભાવના આપણામાં પ્રબળપણે કેળવવી જોઈએ. - હવે અહીં એ બતાવવાનું છે, કે એ ત્રણે પ્રવાહના પ્રાચીન ગ્રંથમાં શબ્દરચના પણ કેટલી બધી એક સરખી છે. આ નીચે જે વચનો આપવાનાં છે, તેમાં ઐતિહાસિક ક્રમ પ્રમાણે વૈદિક વચનો પ્રથમ ભાગમાં મૂકેલાં છે અને જૈન વચનો બીજા ભાગમાં મૂકેલાં છે. સરખામણુની ચેજના બે ભાગમાં આ પ્રમાણે છે: પ્રથમ ભાગમાં પહેલો * અર્થ, પછી વૈદિક વચન અને તેની સામે ધમ્મપદનું વચન. એ જ પ્રમાણે બીજા ભાગમાં પહેલે *અર્થ, પછી જૈન આગમનું વચન અને તેની સામે ધમ્મપદનું વચન. • શાંતિપર્વ અને જૈનવચનોના ઉપરની પંક્તિવાર શબ્દશ: આ બધા અર્થો ટિપણુમાં આપેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy