SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આહ્મણવર્ગ ૧૩૧ “આપ” કહીને બોલાવે; પરંતુ જે અકિંચન છે અને લેવાની તૃષ્ણ વગરને છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૪ બધાં બંધનેને છેદીને જે ત્રાસ પામતો નથી, સંગથી પર થયેલો છે અને અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૫ જેણે વેરને, તૃષ્ણાને અને મિથ્યાષ્ટિ સાથેનાં બધાં બંધનને અનુક્રમે છેદી નાખીને બધાં અવિધામય વિડ્યોને ઉખેડી નાખેલાં છે, એવા બુદ્ધ પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૧૬ ષ કર્યા વિના અથવા ઇંધ કર્યા વિના જે આઠેશને, વધને અને બંધનેને સહન કરે છે અને ક્ષમાનું બળ એ જ જેની બળયુક્ત સેના છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૭ જે ક્રોધ વગરને, વ્રતયુક્ત, શીલવાળ, તૃષ્ણ વિનાને, સંયમવાળે અને છેલ્લા દેહવાળો છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૮ ખરે પ્રતિષ્ઠિત તો જે અકિંચન છે–અપરિગ્રહી છે, તે જ છે; અને એ જ બ્રાહ્મણ છે. + રાગસુખ, કામસુખ વગેરે બંધને છે. એમને છેદતાં ભલભલા વીર પુરુષને પણ ત્રાસ થાય છે. માટે જ કહેલું છે, કે “એ બંધનોને છેદ્યા પછી જે ત્રાસ પામતો નથી': સરખા ચિત્તવર્ગ-ગા. ૨ - આ ગાથામાં મૂળમાં સીધી રીતે “વેર', “તૃષ્ણ', “મિથાદષ્ટિ' અને “અવિદ્યા વગેરે શબ્દો નથી; પરંતુ તેને બદલે, અનુક્રમે, “નંધિ' (નંધિનદ્ધી એટલે ચામડાની વરત), “વરત' (વરત્રા-વરતકેસ ખેંચવાના કામમાં આવતું સૂતરનું દોરડું), “સંદાન” (પશુના પગ બાંધવાનું દોરડું-ડામણ) અને “પલિધ' (પરિધ-બારણું બંધ કરવાને આગળો–ભેગળ) આપેલા છે. તે બધાં અહીં એક પ્રકારનાં રૂપકમાં વપરાયેલા છે; એટલે અહીં એ રૂ૫ક વિશે ન લખતાં વેર” “તૃષ્ણ વગેરે શબ્દો વડે સીધો ભાવ જ બતાવેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy