SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિપત્તિમાં તારા જેવા વિદ્વાન વિપ્રો ખેદ કરે તે ઉચિત ન ગણાય. મૃતને જીવાડવા કરતાં મૃત્યુ ને જ સદા માટે મોત આપનાર ધર્મ-કાર્ય જ સજ્જનો માટે ઉચિત ગણાય.' આટલું બોલીને રાજા અટક્યો. હવે લોઢું બરાબર તપ્યું છે એમ જાણીને બ્રાહ્મણે (લાગ જોઈને) રાજાને હળવે રહીને કહ્યું. બાપુ! આપના સાઇઠ હજાર પુત્રો એકી સાથે મૃત્યુ પામ્યા છે તો તેનો પણ ખેદ હવે આપે ન કરવો જોઈએ.” અને તે જ વખતે બ્રાહ્મણના સંકેત મુજબ મંત્રીઓ સામંતો વગેરેએ રાજ-દરબારમાં પ્રવેશ કર્યો. અને પુત્ર-મૃત્યુની યથાવત બધી હકીક્ત કહી સંભળાવી, જાણે વજાઘાત ન થયો હોય તેમ સગર ચકી ધરણી ઉપર ઢળી પડ્યો. કંઇક ચૈતન્ય પામીને કરૂણ આક્રંદ કરવા લાગ્યો. વિધાતાને ધિક્કારવા લાગ્યો. અને જોર જોરથી કઠોર કાળજાને પણ કંપાવી મુકે તેવું રૂદન કરવા લાગ્યો. આમ ઘણું રડ્યા બાદ બ્રાહ્મણે રાજાને કહ્યું. રાજન ! થોડી જ વાર પહેલા આપ મને નિષેધ કરતા હતા હવે આપ ખુદ કેમ રડો છો ? " બાપુ! હું સમજી શકું છું કે ઈષ્ટ વ્યક્તિનો વિયોગ ભલભલા પાણીદારોને પણ પીગળાવી નાંખે છે. લોહ જંજીરોથી પણ ઝાલ્યા નહિં રહેનારાઓ સ્નેહના તંતુઓથી એકદમ જકડાઈ જતા હોય છે. માટે જ પ્રિય વ્યક્તિનો વિયોગ તેઓ માટે પણ અતિ દુસ્સહ હોય છે. તેમ છતાંયસાગર જેમ વડવાલનને સહન કરે છે તેમ ધીર પુરૂષોએ પણ આવી પડેલી આપત્તિઓને પચાવતાં શીખવું જોઈએ. આમ, મંત્રીઓ અને બ્રાહ્મણના અનેક હિતવચનોથી કંઈક શાંત થયેલા સગર ચક્રીએ પુત્રોનું મરણોત્તર કાર્ય ક્યું ‘‘દુઃ ખનુ ઔષઘ દહાડા'' દિવસો વીતતાં શોક ધીરે ધીરે શાંત થયો. આ બાજુ અષ્ટાપદ પર્વતની નજીક રહેલા ગામોને, ખેંચીને લવાયેલી ગંગા નદીના પૂર વડે ખૂબ નુકશાન થતું હોવાથી તે તે ગ્રામ્યજનોએ આવીને રાજા પાસે ફરીયાદ કરી. સગરે જહુના પુત્ર (પોતાના પૌત્ર) ભગીરથને આ કામ સોંપ્યું. ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમનો તપ કરીને નાગેન્દ્ર જ્વલન-પ્રભને ખુશ ર્યો. નાગેન્દ્ર તેને (ગંગા લઈ જતાં) નાગકુમાર દેવો તરફથી કોઈ ઉપદ્રવ નહિં થાય તેવું વચન આપીને નિર્ભય બનાવ્યો. ત્યારબાદ ભગીરથ, નાગદેવતાની પૂજા કરીને દંડવત્ન વડે ગંગાને ખેંચીને ઉત્તર સમુદ્ર તરફ લઈ ગયો અને સમુદ્રમાં ભેળવી દીધી. આમ, સગરનો પુત્ર જલ્ફ ગંગા ખેંચી લાવ્યો હોવાથી તેનું નામ પ્રસિદ્ધ થયું ‘જાહ્નવી’’ અને જદુના પુત્ર ભગીરથે તેને સમુદ્રમાં ભેળવી દીધી ત્યારથી લોકોમાં તેનું નામ પ્રસિદ્ધ થયું–‘ભાગીરથી” સગરના સાઈઠ હજાર પુત્રોને એકી સાથે અગ્નિ શરણ થઈને મૃત્યુને ભેટવું પડ્યું તેના મૂળમાં ક્યું કારણ કામ કરતું હતું.....? અને કેવી રીતે ? તે માટે વાંચો, હવે પછીનું પ્રકરણ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy