SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી તસ્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. તેની ઉપર ચડ્યો હોય તેમ સાતમી નારકીથી માંડીને એક ઉપર એક, એક ઉપર એક એમ ગોળ વલયાકારે સ્થાન હોય છે તેને પાટડા કહે છે. તે જેમ જેમ ઉપરથી નીચલી નારકીની અંદર જતા જઈએ તેમ તેમ બબે પાટા ઓછા હોય છે. પહેલી નારકીની અંદર ૧૩ પાટડા, બીજી નારકીની અંદર ૧૧ પાટડા, ત્રીજીની અંદર ૯ પાટડા, ચોથીની અંદર સાત પાટડા, પાંચમીની અંદર પાંચ પાટડા, છઠ્ઠીની અંદર ત્રણે પાટડા અને છેલ્લી સાતમી નારકીની અંદર એકજ પાટડે છે પણ તે પાટડે ઉપરના બીજા બધા પાટડા કરતાં મોટો છે એવી રીતે બધા મલીને ૪૯ પાટડા છે. ૧૦૮ ' હવે દરેક પાટડે દિશિ અને વિદિશિમાં કેટલા કેટલા નરકાવાસ છે તે બતાવે છે. दिवेकोनपश्चाशदष्टचत्वारिंश द्वदितु ॥१०॥ શબ્દાર્થ–દરેક દિશાઓની આ દરે ૪૯ ઓગણપચાસ અને વિદિશીમાં ૪૮ અડતાલીસ નરકાવાસ હોય છે. વિશેષાર્થ-બધી નારકી ૪૯ પાટડા છે તેમાં પહેલી નારકીના પહેલા પાટડાના ઇંક વિમાનની ચારે બાજુએ ૪૯ ઓગણપચાસ નરકાવાસ છે અને ચારે વિદિશાની અંદર ૧ ઓછો એટલે ૪૮ અડતાલીસ નરકાવાસ છે એવી રીતે દરેક પાટડે દિશાની અંદર અને વિદિશાની અંદર એક એક ઓછા કરતા જવાથી છેવટે સાર્તમી નારકીના પાટડાની ચારે દિશામાં એક એક નરકાવાસ અને એક ઇંદ્રક મલી પંચ નરકાવાસ આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy