SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રવર્તતો નથી, તેથી દીક્ષાના ફળની પ્રાપ્તિ થાય નહિ. તેથી કહે છે. દીક્ષાદ્વાત્રિંશિકા|બ્લોક-૨૫ જેમ કોઈ સાધકમાં માર્ગાનુસારી મતિ હોય તો તે સાધક શાસ્ત્રઅધ્યયન કરતી વખતે શ્રુતમાં ઉપયોગવાળા હોય, તોપણ વાસનારૂપે રહેલી માર્ગાનુસારી મતિથી નિયંત્રિત શ્રુતનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી તે શ્રુતઅધ્યયનની ક્રિયાથી યથાર્થ બોધ થાય છે; અને જેઓની માર્ગાનુસારી મતિ નથી, તેઓ શ્રુતઅધ્યયન કરતા હોય ત્યારે પણ શ્રુતવચનોને યથા-તથા જોડીને શ્રુતનો વિપરીત બોધ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રુતઅધ્યયનકાળમાં શ્રુતનો ઉપયોગ હોવા છતાં વાસનારૂપે રહેલી મતિના ફળનો વિચ્છેદ થતો નથી, તેથી જ શ્રુતઅધ્યયનથી યથાર્થ બોધની પ્રાપ્તિ થઈ. માટે શ્રુતના ઉપયોગકાળમાં માર્ગાનુસારી મતિના ફળનો વિચ્છેદ નથી. વળી કોઈ સાધક શાસ્ત્રનો યથાર્થ બોધ ધરાવતા હોય, અને કોઈક કાળે મતિજ્ઞાનનો ઉપયોગ હોય તે વખતે પણ, વાસનારૂપે શ્રુતનો ઉપયોગ તે મતિનું નિયંત્રણ કરનાર હોય, તો તે શ્રુતનું ફળ મળે છે; કેમ કે શ્રુતથી નિયંત્રિત થઈને પ્રવર્તતો મતિનો ઉપયોગ આત્માના હિતને અનુકૂળ પ્રવૃત્તિનું કારણ બને છે. તેથી ઉપયોગરૂપે શ્રુતનો ઉપયોગ નહિ હોવા છતાં વાસનારૂપે રહેલા શ્રુતના પરિણામથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે. આથી દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની મતિ કોઈપણ વિષયમાં પ્રવર્તતી હોય તોપણ, તે મતિના ઉપયોગકાળમાં શ્રુતનો ઉપયોગ નહિ હોવા છતાં, શ્રુતના નિયંત્રણથી પ્રવર્તતી મતિ હોવાના કારણે, વાસનારૂપે રહેલ શ્રુતના કાર્યરૂપ નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે. તેની જેમ જેઓ શુદ્ધઉપયોગરૂપ દીક્ષામાં ઉદ્યમ કરનારા છે, તેઓ આહાર-વિહારાદિ ક્રિયાઓ કરતા હોય ત્યારે પણ શુદ્ધઉપયોગ પ્રત્યેના પક્ષપાતથી નિયંત્રિત આહાર-વિહારાદિની પ્રવૃત્તિ કરતા હોય છે, માટે આહાર-વિહારાદિની ક્રિયાકાળમાં ક્રિયાનો ઉપયોગ હોવા છતાં શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો વિચ્છેદ નથી અર્થાત્ તે ક્રિયાના સેવનકાળમાં પણ શુદ્ધઉપયોગથી નિયંત્રિત પ્રવૃત્તિ હોવાના કારણે આત્માના શુદ્ધ સ્વભાવના પ્રતિબંધક કર્મોનું વિગમન થાય છે. તેથી દીક્ષાના ફળનો વિચ્છેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy