SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ દીક્ષાહાિિશકા/બ્લોક-૩૦ ધ્યાનાંતરમાં જવાના કરાતા યત્નરૂપ સમાધિના પ્રારંભને પણ વ્યુત્થાનદશા સ્વીકારવાની આપત્તિ આવે. વસ્તુતઃ જેમ સમાધિની પ્રારંભની ભૂમિકા સમાધિમાં જવાને અનુકૂળ છે, પરંતુ સમાધિમાં જવાને પ્રતિકૂળ નથી, તેથી વ્યુત્થાનદશા છે, તેમ કહી શકાય નહિ; તેમ વ્યવહારનયની ક્રિયા પણ સમાધિમાં જવાને અનુકૂળ છે, પરંતુ સમાધિમાં જવાનું પ્રતિકૂળ નથી, તેથી વ્યુત્થાનદશા છે તેમ કહી શકાય નહિ. જેમ આઘભૂમિકાના સાધકો સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ સુદઢ વ્યાપારથી કરે છે, તેમ જે સાધકો તે ક્રિયાઓથી કંઈક સંપન્ન થયા છે અને તે ક્રિયાઓના અત્યંત સેવનને કારણે મૈત્રી આદિ ચાર ભાવોથી પરિકમિત જેઓની બુદ્ધિ થઈ છે, તેવા યોગીઓ આત્મમાત્રમાં પ્રતિબંધરૂપ નિર્વિકલ્પ સમાધિને પ્રગટ કરવા અર્થે અવસરે ધ્યાનાન્તરનો આરંભ કરે છે અર્થાત્ નિર્વિકલ્પ ધ્યાન કરતાં પૂર્વ ભૂમિકાના ધ્યાનનો આરંભ કરે છે, અને તે ધ્યાનાન્તરકાળમાં ધ્યાનની સંતતિ વર્તતી નથી, પરંતુ એક ધ્યાન કર્યા પછી કંઈક અંતરથી અન્ય ધ્યાનનો પ્રારંભ થાય છે. તેથી આ ધ્યાનાન્તરના આરંભની ક્રિયા પણ નિર્વિકલ્પ ધ્યાન સદશ આત્મમાત્રમાં પ્રતિબંધરૂપ નથી, આમ છતાં, આત્મમાત્રમાં પ્રતિબંધરૂપ નિર્વિકલ્પ ધ્યાનને અનુકૂળ છે, માટે આ ધ્યાનની ક્રિયાને વ્યુત્થાનદશા કહેવાય નહિ. તે રીતે વ્યવહારનયને અભિમત સંયમની ક્રિયાને પણ વ્યુત્થાનદશા કહેવાય નહિ. વળી જો વ્યવહારનયને સંમત સંયમની ક્રિયા ક્રમસર તે તે આચારોમાં પ્રવર્તતા ચિત્તરૂપ હોવાથી ધ્યાનના પ્રતિબંધકરૂપે સ્વીકારવામાં આવે તો, સમાધિના પ્રારંભરૂપ ધ્યાનાન્તરના આરંભમાં પણ વ્યુત્થાનદશા સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે સમાધિના પ્રારંભરૂપ ધ્યાનાન્તરના આરંભમાં પણ શુદ્ધ આત્મભાવમાં વિશ્રાંતિરૂપ ધ્યાનની સંતતિ નથી; પરંતુ એક ધ્યાન કર્યા પછી બીજા ધ્યાનનો પ્રારંભ કરવા માટે તદ્અભિમુખ અનુપ્રેક્ષાદિમાં યત્ન થાય છે. માટે જ્યાં ચિત્ત ક્રમસર વિષયાન્તરને સ્પર્શતું હોય ત્યાં વ્યુત્થાનદશા છે, તેમ સ્વીકારીને ધ્યાનને અનુકૂળ એવી સંયમની ક્રિયાને પણ વ્યુત્થાન છે તેમ કહેવામાં આવે અને ધ્યાનની વિરોધી છે તેમ કહેવામાં આવે તો સમાધિમાં જવાને અનુકૂળ ધ્યાનાન્તરના આરંભમાં પણ વ્યુત્થાનદશા છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અને ધ્યાનાન્તરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy