SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ભાવાર્થ :આગમમાં શુભયોગને આશ્રયીને સદ્દીક્ષામાં અનારંભીપણું અને અનારંભીપણારૂપ અંશથી સ્વભાવસમવસ્થિતિરૂપ શુદ્ધઉપયોગથી અનુવિદ્ધ શુભઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ : સદ્દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રત્યેકબુદ્ધાદિ કે તીર્થંકરો વગેરે પ્રાયઃ પ્રારંભથી જ શુદ્ધઉપયોગવાળા થાય છે, પરંતુ સામાન્યથી સંયમ ગ્રહણ કરનારા સાધુઓ શક્તિના પ્રકર્ષથી સંયમની ઉચિત ક્રિયાઓ કરતા હોય તો શુભઉપયોગવાળા હોય છે, અને સદ્દીક્ષાકાળમાં વર્તતા શુભયોગને આશ્રયીને પ્રજ્ઞપ્તિ આદિ આગમમાં તેઓને અનારંભી કહ્યા છે; કેમ કે પ્રજ્ઞપ્તિમાં પ્રશ્ન કર્યો છે કે “જે પ્રમત્ત સંયત છે, તે આરંભી છે કે અમારંભી છે ? તેના ઉત્તરમાં, જે પ્રમત્ત સંયત છે, તે જ્યારે શુભયોગમાં વર્તે છે ત્યારે આત્મારંભી નથી, પરારંભી નથી, ઉભયારંભી નથી, પરંતુ અમારંભી છે; તેમ કહેલ છે” અને જેઓ અનારંભી છે, તેઓ નિયમ સમભાવના પરિણામવાળા છે; કેમ કે બાહ્ય આરંભના ત્યાગમાત્રથી આત્મા અનારંભી બનતો નથી, પરંતુ જગતના બાહ્ય વિષયોથી મન-વચન-કાયાને ગુપ્ત કરીને આત્માના સ્વભાવમાં આત્માને વિશ્રાંત કરવા માટે જેઓ ઉદ્યમવાળા છે, તેઓ અનારંભી છે; અને પ્રમત્તગુણસ્થાનકવાળા મુનિ પણ અપ્રમાદભાવથી સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય, તો તે ક્રિયાના બળથી તેઓ પોતાના સ્વભાવમાં વિશ્રાંતિ પામી રહ્યા છે, માટે અનારંભી છે; અને આ અનારંભી ગુણને કારણે જે સ્વભાવમાં સમરસ્થિતિ છે, તે આત્માનો શુદ્ધ પરિણામ છે, તેથી તે મહાત્માઓનો શુભઉપયોગ પણ ચારિત્રના પરિણામરૂપ શુદ્ધઉપયોગથી અનુવિદ્ધ હોવાને કારણે શુદ્ધઉપયોગની જેમ મોક્ષનું કારણ છે. જ્ઞાનાદિના અપ્રકર્ષમાં જ્ઞાની પુરુષના પાતંત્ર્યમાં ચારિત્રની નિષ્પત્તિની યોગ્યતા હોવાને કારણે અનારંભીપણાની સંગતિ : અહીં પ્રશ્ન થાય કે અનારંભીપણારૂપ ગુણને ફુરણ કરવા માટે વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ શ્રદ્ધા આવશ્યક છે, અને માતુષાદિ મુનિઓ તેવા વિશિષ્ટ જ્ઞાનવાળા અને તેવી વિશિષ્ટ શ્રદ્ધાવાળા નથી, તેથી તેઓને અનારંભીપણારૂપ Sા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy