SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયવાાિંશિશોક-૨૫ ટીકાર્ચ - વેદ્ય ....નકોષ વેદ્ય વેદનીય=વસ્તુસ્થિતિથી તેવા પ્રકારના ભાવયોગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનગ્રાહ્યઃવસ્તુ જે રૂપે રહેલી છે તે રૂપે વસ્તુની સ્થિતિથી ગ્રંથિભેદ દ્વારા રત્નત્રયીરૂપ ભાવમાર્ગને પ્રાપ્ત કર્યો છે તેવા પ્રકારના સર્વ ભાવયોગીથી સમાન પ્રકારના જ્ઞાતથી ગ્રાહ્ય, અપાયાદિનું કારણ=નરક-સ્વર્ગાદિનું કારણ, એવી સ્ત્રી આદિ વેદ્ય, સંવેદન થાય છે જેમાં ક્ષયોપશમને અનુરૂપ નિશ્ચયબુદ્ધિથી જણાય છે જે આશયસ્થાનમાં, તે તે આશયસ્થાન, વેધસંવેદ્યપદ છે. આના વિપર્યયથી ઉક્ત લક્ષણના વ્યત્યયથી અર્થાત્ પૂર્વમાં જે વેધસંવેદ્યપદનું લક્ષણ કર્યું, તેના વ્યત્યયથી અચ=અન્ય અવેદ્યસંવેદ્યપદ છે. જોકે શુદ્ધ યથાવત્ વેદસંવેદન=નયનિક્ષેપાથી યુક્ત યથાર્થ વેદ્યનું સંવેદન, માસતુષાદિમાં અસંભવી છે. અને યોગ્યતામાત્રથી મિત્રાદિ દૃષ્ટિમાં પણ સંભવી છે યોગ્યતામાત્રથી મિત્રાદિ દૃષ્ટિઓમાં પણ વેધસંવેદ્યપદ સંભવી છે. માટે યોગ્યતામાત્રથી માસતુષાદિમાં વેવસંવેદ્યપદ સ્વીકારી શકાય નહીં, તોપણ વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત ગ્રંથિભેદથી જનિત રુચિવિશેષ જ છે, એથી દોષ નથી માસતુષાદિમાં યથાવત્ વેધસંવેદ્યપદ ઘટે છે, અને મિત્રાદષ્ટિમાં યથાવત્ વેધસંવેદ્યપદ ઘટતું નથી, માટે દોષ નથી. રપા ભાવાર્થ :વેધસંવેધપદ અને અવેધસંવેધપદની ઓળખ : ગ્રંથિભેદ કરીને જેઓ સમ્યકત્વ પામ્યા છે, તે સર્વ યોગીઓમાં સમ્યજ્ઞાન છે, સમ્યગુ રુચિ છે અને અનંતાનુબંધી કષાયના વિગમનથી કંઈક સમ્યક્રચારિત્ર પણ છે, તેથી તે સર્વ ભાવયોગીઓ છે; અને સમ્યકત્વની આગળની ભૂમિકાવાળા દેશવિરતિધર આદિ પણ ભાવયોગીઓ છે; કેમ કે રત્નત્રયીરૂપ ભાવમાર્ગમાં તેઓ સર્વ પ્રવર્તે છે; અને તે સર્વ ભાવયોગીઓને એવો સ્થિર નિર્ણય છે કે “સર્વજ્ઞના વચનાનુસાર જે કંઈ ઉચિત પ્રવૃત્તિ છે, તે સર્વ એકાંતે જીવનું હિત કરનાર છે, અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ એકાંતે જીવનું અહિત કરનારી છે.” તેથી સર્વજ્ઞના વચનથી વિપરીત જે કંઈ સ્ત્રી આદિ વેદ્યનું વદન થાય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy