SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૨૭ ૧૦૫ તિશવશ્વ ..... ૩૫૫:, અને ઉભયપક્ષમાં લગ્નપણામાં અને પુરીષાદિમાં અતિશય સમાન છે, તેથી ભગવાનના લગ્નપણાના અદર્શનની જેમ પુરીષાદિના અદર્શનની પણ ઉપપત્તિ છે. સામાન્ય વનિમિ. ... વત્તિ | વળી સામાન્ય કેવલીઓ વડે વિવિક્ત દેશમાં તેનું કરણ હોવાથી=મલવિસર્જનાદિનું કરણ હોવાથી, દોષ નથી=અન્યને જગુપ્સા પ્રાપ્ત થાય એવો દોષ નથી, એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે. રશા જ નાચેડવિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અન્ય લોકોને પુરીષાદિથી તો જુગુપ્સા થાય, પરંતુ સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા ભગવાનના નગ્નપણામાં પણ અન્ય લોકોને જુગુપ્સા થાય. ભાવાર્થ : દિગંબરો કહે છે કે કેવલીને ભોજન સ્વીકારવામાં આવે તો ભોજનને કારણે મલાદિ થશે, અને મલાદિના વિસર્જનથી અન્ય લોકોને જુગુપ્સા થશે. માટે કેવલી ભોજન કરે છે, એમ માનવું ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો ભોજનને કારણે મલાદિના વિસર્જનથી અન્ય લોકોને જુગુપ્સા થાય છે, તેમ સ્વીકારવામાં આવે, તો તીર્થકરો સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં નગ્ન બેઠેલા હોય છે, તેમને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવી જોઈએ. અહીં દિગંબર કહે છે કે ભગવાનનો તેવો અતિશય છે, તેથી સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા ભગવાન નગ્ન દેખાતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- ભગવાનનો તેવો અતિશય છે કે ભગવાનના મતવિસર્જનાદિની પ્રવૃત્તિ અન્યને દેખાતી નથી, તેમ સ્વીકારીને કેવલીને ભુક્તિ છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી સામાન્ય કેવલીને અતિશય નથી, તોપણ કોઈ લોકોની નજર ન પડે તેવા એકાંત સ્થળમાં મતવિસર્જન કરે છે, માટે અન્ય લોકોને જુગુપ્સા થાય તેવો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. ર૭માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy