SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૨૫ અર્થાત્ જેમ અભોજનભાવનાના પ્રકર્ષથી ભુક્તિઆપાદક કર્મની નિવૃત્તિ થઈ, તેમ અશરીરભાવનાના પ્રકર્ષથી શરીરઆપાદક કર્મની પણ નિવૃત્તિની પ્રાપ્તિ થાય, એ પ્રકારનું દિગંબરોને મોટું સંકટ છે. ગ્રંથકારશ્રીએ આપેલી આપત્તિ સામે દિગંબર કહે છે કે અભોજનભાવનારૂપ ભક્તિ આદિની વિપરીત ભાવના દ્વારા, ભુક્તિ આદિનું અદૃષ્ટ તન થાય છે અર્થાત્ સર્વથા નાશ થતું નથી, પરંતુ ક્ષીણ થાય છે, અને ભક્તિની પ્રવૃત્તિ માટે ઉપયોગી એવી મોહરૂપ ઘણી સામગ્રી નહિ હોવાને કારણે ભુક્તિઆપાદકકર્મ સ્વકાર્ય કરવામાં અસમર્થ બને એવું ભુક્તિઆપાદક કર્મનું તનપણું છે, અને અશરીરભાવનાથી તનુ સ્થાપક અદૃષ્ટ તન=ક્ષીણ, થાય છે; તેથી જેમ અભોજનભાવનાથી, ક્ષીણ થયેલું ભક્તિનું આપાદક કર્મ મોહરૂપ ઘણી સામગ્રીના અભાવના કારણે આહારગ્રહણની પ્રવૃત્તિ કરાવતું નથી, તેમ અશરીરભાવનાના પ્રકર્ષવાળા એવા કેવલીનું તનસ્થાપક અદૃષ્ટ પણ, તે ભવમાં જે કાયાની ક્રિયા પૂર્વમાં કરતું હતું, તેનો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાથી નિરોધ થાય છે. તેથી જેમ કેવલી અભોજનભાવનાના પ્રકર્ષને કારણે આહાર ગ્રહણ કરતા નથી, તેમ અશરીરભાવનાના પ્રકર્ષને કારણે કાયિક કોઈ ચેષ્ટા કરતા નથી; અને શરીર તો કેવલજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વમાં તનુ સ્થાપક અદષ્ટથી નિષ્પાદન કરાયેલું છે, તેનો બાધ અશરીરભાવનાથી થતો નથી. માટે ગ્રંથકારશ્રીએ જે દોષ આપેલો કે તમે જો કેવલીને અભોજનભાવનાથી ભક્તિની નિવૃત્તિ માનશો તો અશરીરભાવનાથી કેવલીના શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થશે, એ પ્રકારનો દોષ અમને-દિગંબરને, આવશે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે – જેમ રાગાદિઅર્જક અદષ્ટ વીતરાગભાવનાના પ્રકર્ષને કારણે વીતરાગભાવનાના યોગના પ્રકર્ષવાળા કેવલીમાં નિર્મૂળ નાશ પામે છે, તેમ અભોજનભાવનાના પ્રકર્ષથી કેવલીમાં ભક્તિ આદિના આપાદક અદૃષ્ટના નિર્મળ નાશની પ્રાપ્તિ થાય, તેથી કેવલીમાં રાગાદિઅર્જક કર્મનો સર્વથા નાશ છે, અને ભુક્તિ આદિનું આપાદક અદષ્ટ સ્વકાર્ય કરવામાં અસમર્થ એવું તન=ક્ષીણ છે, એ પ્રકારનો વિશેષ છે એમ કહી શકાય નહિ, માટે રાગાદિપાદકકર્મમાં અને ભક્તિ આદિ આપાદકકર્મમાં વિશેષના અભાવની પ્રાપ્તિ છે. તેથી દિગંબરે કહેલ કે અમુક્તિભાવનાથી મુક્તિ આપાદક અદૃષ્ટ તન થયેલું છે માટે કેવલીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy