SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા - પૂર્વે શ્લોક-૯માં પ્રતિ દિવસ ઉત્કર્ષને પામતો અધ્યાત્મનો અભ્યાસ ભાવના છે એમ બતાવ્યું અને ભાવનાયોગનું ફળ બતાવ્યું. હવે ભાવનાયોગને પામેલા યોગીઓ ભાવનાનો અતિશય કરવા માટે દઢ સંસ્કારનું કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું ભાવન કરે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : ज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः । इष्यते पञ्चधा चेयं दृढसंस्कारकारणम् ।।१०।। અન્વયાર્થ: ઘ=અને જ્ઞાનવર્શનવારિત્રતપોવેરાગ્યમેવત =જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી સંરિવાર—દઢ સંસ્કારનું કારણ =આ=ભાવના, પષ્યધા=પાંચ પ્રકારે રૂધ્યતે ઈચ્છાય છે. ૧૦ શ્લોકાર્ચ - અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી દઢ સંસ્કારનું કારણ એવી ભાવના પાંચ પ્રકારે ઈચ્છાય છે. II૧૦ના ટીકા - ज्ञानेति-इयं च भावना भाव्यमानज्ञानादिभेदेनावश्यकभाष्यादिप्रसिद्धा पञ्चधेष्यते, दृढस्य झटित्युपस्थितिहेतोः संस्कारस्य कारणं, भावनाया एव पटुतरभावनाजनकत्वनियमात् ।।१०।। ટીકાર્ચ - .....નિયમન્ અને દઢ સંસ્કારનું કારણ=શીધ્ર ઉપસ્થિતિનો હેતુ એવા સંસ્કારનું કારણ, ભાવ્યમાન જ્ઞાનાદિના ભેદથી આવશ્યક ભાષ્યાદિમાં પ્રસિદ્ધ આ=ભાવના, પાંચ પ્રકારે ઈચ્છાય છે; કેમ કે ભાવનાનું જપતર ભાવનાના જનકપણાનો નિયમ છે=ભાવના જપટુતાર ભાવનાનું કારણ છે. II૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy