SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ૩૯ યત્ન કરનારા બધાને સમાન ફળ મળવું જોઈએ; પરંતુ સમાન પ્રયત્ન કરનારમાંથી કોઈકને અધિક ધન મળે છે, તો કોઈકને અલ્પ ધન મળે છે, તો કોઈકને કંઈ પણ ધન મળતું નથી અર્થાત્ જેનું અધિક દેવ છે તેને અધિક ધન મળે છે, અને જેનું અલ્પ દેવ છે તેને અલ્પ ધન મળે છે, અને જેનું દૈવ જ નથી, તેને પ્રયત્ન કરવા છતાં કંઈ જ ધન મળતું નથી. માટે નક્કી થાય છે કે દેવ જ ફળનો હેતુ છે, યત્ન નહીં. આ પ્રકારે સર્વ કાર્ય પ્રત્યે માત્ર દેવને જ કારણ માનનારની= એકાંત દેવવાદિની આશંકાના નિરાકરણ માટે કહે છે – શ્લોક : क्वचित्कर्मेव यत्नोऽपि व्यापारबहुल: क्वचित् । अन्ततः प्राग्भवीयोऽपि द्वावित्यन्योऽन्यसंश्रयौ ।।११।। અન્વયાર્થ: રવિ=કોઈક સ્થાને ખેંવ-કર્મની જેમ વરિ–કોઈક સ્થાને યત્નોડપિક યત્ન પણ વ્યાપાર દુ:=વ્યાપારબાહુલ છે. સત્તત =અંતથી પ્રામવીવોડv= પ્રાભવીય પણ=પ્રાશ્મવીય પણ થ–બહુલ છે, કૃત્તિકએ રીતે વોડસંશ્રયો બંને અન્યોન્ય સંશ્રયવાળા છે ફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર કારણરૂપે અપેક્ષાવાળા છે. [૧૧] શ્લોકાર્ચ - કોઈક સ્થાને કર્મની જેમ કોઈક સ્થાને યત્ન પણ વ્યાપારબદુલ છે, અંતથી પ્રાભવીય પણ=પ્રાભવીય યત્ન પણ બહુલ છે. એ રીતે બંને પણ અન્યોન્ય સંશ્રયવાળા છેત્રફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર કારણરૂપ અપેક્ષાવાળા છે. ll૧૧il યત્નો'- અહીં ૩પ' થી એ કહેવું છે કે કોઈક સ્થાને તો કર્મ વ્યાપારબહુલ છે; પરંતુ કોઈક સ્થાને યત્ન પણ વ્યાપારબદુલ છે. અન્ત: પ્રામવીયો પિ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે કોઈક વખતે આ ભવનો યત્ન તો વ્યાપારલહુલ હોય, પરંતુ કોઈક વખતે આ ભવનો યત્ન વ્યાપારબહુલ ન હોય તોપણ અંતથી પ્રાભવીય યત્ન વ્યાપારબહુલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy