SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ 30 પરંતુ સ્ત્રીશરીરરૂપ એક કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણ દેખાતા હોય, છતાં કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને સ્ત્રીશરીર પ્રત્યે દૈવ કારણ છે, પુરુષકાર કારણ નથી, તેમ કહી શકાય નહીં. આમ છતાં કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને સ્ત્રીશરીરરૂપ કાર્ય પ્રત્યે દૈવને કારણ સ્વીકારીને પુરુષકારને અન્યથાસિદ્ધ કહેવામાં આવે, તો ઘટસ્થળમાં પણ ઘટ પ્રત્યે દંડને હેતુ તરીકે ગ્રહણ કરીને ચક્રને પણ અન્યથાસિદ્ધ કહેવાનો અતિપ્રસંગ આવે. આ પ્રકારે વ્યવહારનયવાદીએ નિશ્ચયનયવાદીને આપત્તિ આપીને ‘વિશેષરૂપે કાર્યહેતુપણું માનવું ઉચિત નથી’ તેમ સ્થાપન કરીને કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકારને કારણ સ્વીકારવા ઉચિત છે, તેમ સ્થાપન કર્યુ. હવે નિશ્ચયનયવાદીને વ્યવહારનયવાદીએ આપેલ અતિપ્રસંગનું નિવારણ ક૨વા નિશ્ચયનયવાદી કહે છે — ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ અને ચક્ર બંનેનો સ્વતંત્ર અન્વય-વ્યતિરેક દેખાય છે અર્થાત્ જ્યાં જ્યાં ઘટરૂપ કાર્ય થાય છે, ત્યાં ત્યાં દંડરૂપ કારણ અવશ્ય હોય છે. વળી જ્યાં જ્યાં દંડરૂપ કારણનો અભાવ હોય છે, ત્યાં ત્યાં ઘટરૂપ કાર્યનો પણ અભાવ હોય છે. આ રીતે ઘટરૂપ કાર્ય સાથે દંડરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે; તેમ ઘટરૂપ કાર્ય સાથે ચક્રની પણ અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી જ્યાં જ્યાં ઘટરૂપ કાર્ય થાય છે, ત્યાં ત્યાં ચક્રરૂપ કારણ અવશ્ય હોય છે. વળી જ્યાં જ્યાં ચક્રરૂપ કારણનો અભાવ હોય છે, ત્યાં ત્યાં ઘટરૂપ કાર્યનો અભાવ હોય છે. આ રીતે ઘટરૂપ કાર્યની સાથે ચક્રરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી ઘટરૂપ કાર્ય સાથે દંડરૂપ કારણની અને ચક્રરૂપ કારણની સ્વતંત્ર અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ છે. માટે દંડરૂપ એક હેતુ દ્વારા ચક્રરૂપ અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય નહીં અર્થાત્ ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ કારણ છે, ચક્ર અન્યથાસિદ્ધ છે, એમ કહી શકાય નહીં. માટે ઘટ પ્રત્યે દંડ હેતુ છે, ચક્ર નથી, એમ કહેવું શક્ય નથી. આ પ્રકારના નિશ્ચયનયવાદીના કથન સામે વ્યવહારનયવાદી કહે છે દૈવ અને પુરુષકારના સ્થળમાં પણ આ સમાન છે અર્થાત્ જ્યાં જ્યાં સ્ત્રીશ૨ી૨રૂપ કાર્ય થાય છે ત્યાં ત્યાં દૈવરૂપ કારણ અવશ્ય વિદ્યમાન છે, અને જ્યાં જ્યાં દૈવરૂપ કારણનો અભાવ હોય છે ત્યાં ત્યાં સ્ત્રીશરીરરૂપ કાર્યનો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy