SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ જીવમાં રહેલ ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિની ક્રિયા ઉપદેશ કરે છે. વળી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો પોતે જે ગુણસ્થાનક સ્વીકાર્યું છે, તેમાં સ્થિર થવાના પરિણામવાળા છે, પરંતુ કોઈક નિમિત્તથી પતનને અભિમુખ થયા છે અને સ્વપરાક્રમના બળથી સ્થિર થઈ શકતા નથી; તેવા જીવોમાં ગુણસ્થાનકમાં સ્થિર થવાની પરિણતિ વિદ્યમાન છે, પરંતુ સ્વપરાક્રમથી તે પરિણતિ અભિવ્યક્ત થતી નથી, તેવા જીવોમાં રહેલી ગુણસ્થાનકમાં સ્થિર થવાની પરિણતિનો અભિવ્યંજક ઉપદેશ છે. ર૯II અવતરણિકા - શ્લોક-૨૭માં કહ્યું કે ગ્રંથિભેદ થયા પછી બળવાન યત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થાય છે. ત્યાં શંકા થઈ કે જો ગ્રંથિભેદ પછી બળવાના પ્રયત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉપદેશ વ્યર્થ જશે, તેનું સમાધાન શ્લોક-૨૮-૨૯માં કર્યું. હવે ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થાય છે, તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શ્લોક : औचित्येन प्रवृत्त्या च सुदृष्टिर्यत्नतोऽधिकात् । पल्योपमपृथक्त्वस्य चारित्रं लभते व्ययात् ।।३०।। અન્વયાર્થ : ર=અને ધવત્ રત્ના—અધિક એવા યત્નથી ચિચેન પ્રવૃાા ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિને કારણે પલ્યોપમપૃથસ્વસ્થ પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો વ્યથા વ્યય થવાથી સુષ્ટિ સમ્યગ્દષ્ટિ ચારિત્રં ચારિત્રને દેશવિરતિ ચારિત્રને તમ=પ્રાપ્ત કરે છે. Ima | શ્લોકાર્ચ - અને અધિક એવા યત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિને કારણે પલ્યોપમ પૃથકૃત્વ કર્મસ્થિતિનો વ્યય થવાથી સમ્યગ્દષ્ટિ ચારિત્રને દેશવિરતિ ચારિત્રને, પ્રાપ્ત કરે છે. Il3oll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy