SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૧૩-૧૪ અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક હેતુથી વિચારણા : ભવના કારણભૂત એવા સંક્લેશનો ઉચ્છેદ=બાહ્ય પદાર્થ સાથે સંગ કરવાની વૃત્તિરૂપ સંક્લેશનો ઉચ્છદ, ભવના વિયોગનો હેતુ છે. અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક સ્વરૂપથી વિચારણા :કર્માદિના સંયોગ વગરના શુદ્ધ આત્માની પ્રાપ્તિ એ ભવના વિયોગનું સ્વરૂપ છે. અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક ફળથી વિચારણા :સર્વ ઉપદ્રવથી રહિત ચૈતન્યમય આત્મા હોવાથી સુખમય અવસ્થાની પ્રાપ્તિ ભવના વિયોગનું ફળ છે. સારાંશ - અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક વિચારણા હેતુથી સ્વરૂપથી ફળથી ભવના કારણભૂત સર્વ ઉપદ્રવરહિત સુખમય સંક્લેશનો ઉચ્છેદ અવસ્થાની પ્રાપ્તિ ભવવિયોગનો કર્યાદિના સંયોગ વગરના ભવવિયોગનું ફળ છે. હેતુ છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ તે ભવવિયોગનું સ્વરૂપ છે. ll૧૩ અવતરણિકા : શ્લોક-૧૩માં કહ્યું કે અપુનર્ધધક જીવને ભવના વિયોગના આશ્રયવાળો ઊહ પ્રવર્તે છે. આમ હોતે છતે શું સિદ્ધ થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે – નોંધ :- આ અવતરણિકા યોગબિંદુ શ્લોક-૨૦૦ અને શ્લોક-૨૦૧ના આધારે કરેલ છે. શ્લોક : योजनाद्योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ।।१४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy