SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ અત્યથા પૂર્વમાં કહ્યું કે એક પ્રત્યે વિલીન અવસ્થાવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે વિલીન અવસ્થાવાળી થાય અથવા એક પ્રતિ અવિલીન અવસ્થાવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે અવિલીન અવસ્થાવાળી થાય, એમ ન માને તો, સ્વભાવભેદ થયે છતે ભિન્ન ભિન્ન પુરુષ સાથે સંબંધવાળી પ્રકૃતિનો સ્વભાવભેદ થયે છત, પ્રકૃતિના ભેદનો પ્રસંગ છે અનેક પ્રકૃતિ સ્વીકારવાનો પ્રસંગ છે. * પ્રોરપિ - અહીં માપ થી એ સમુચ્ચય થાય છે કે આત્મા અપરિણામી હોતે છતે તો કોઈની મુક્તિ ન થાય, પરંતુ પ્રકૃતિનું પણ એકપણું હોતે છતે સર્વની મુક્તિ થાય અથવા કોઈની ન જ થાય. પ્રવૃત્તેિર થી પ્રવૃતિ મેવાસા સુધીના કથનનો ભાવાર્થ - પ્રકૃતિને એક સ્વીકારવામાં સર્વની મુક્તિ અથવા કોઈની મુક્તિ ન થાય: પતંજલિ ઋષિ પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વો માને છે, અને પુરુષ અનેક છે તેમ માને છે, અને પ્રકૃતિ એક છે અનેક નથી, તેમ માને છે, અને પ્રકૃતિનો સર્વ પ્રપંચ સંસારરૂપ છે, તેમ માને છે, અને મોક્ષ અર્થે સાધના કરવાથી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા બુદ્ધિ આદિ તત્ત્વો પ્રતિલોમથી પ્રકૃતિમાં જ વિલીન થાય છે, તેથી પુરુષનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - પ્રકૃતિ એક છે' તેમ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ આદિ સર્વ તત્ત્વો પ્રતિલોમથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી એક સાધકે સાધના કરી તો બધાની મુક્તિ થવી જોઈએ; કેમ કે પ્રકૃતિ દરેક સાધકને આશ્રયીને જુદી નથી પરંતુ એક છે; અને પ્રતિલોમથી પ્રકૃતિમાંથી નીકળેલાં તત્ત્વો પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી સર્વ પુરુષોને મુક્તિની પ્રાપ્તિ થાય; કેમ કે એક પ્રત્યે વિલીન સ્વભાવવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે વિલીન સ્વભાવવાળી સિદ્ધ થાય; અથવા કોઈની મુક્તિ થાય નહિ; કેમ કે કોઈ એક સાધક સાધના કરે તોપણ કોઈ અન્ય સાધક પ્રત્યે વિલીન સ્વભાવવાળી પ્રકૃતિ નથી, તેમ સર્વ પ્રત્યે વિલીન સ્વભાવવાળી તે પ્રકૃતિ નથી; કેમ કે પ્રકૃતિ એક છે; અને જો એમ કહેવામાં આવે કે જે પુરુષે સાધના કરી તે પુરુષની પ્રકૃતિ વિલીન સ્વભાવવાળી છે, જે પુરુષે સાધના કરી નથી તે પુરુષની પ્રકૃતિ વિલીન સ્વભાવવાળી નથી, તો પ્રકૃતિના સ્વભાવભેદને કારણે પ્રકૃતિભેદનો પ્રસંગ આવે, તેથી પતંજલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy