SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મામાં રહેલી મોક્ષની યોગ્યતા એ ભવ્યત્વ છે, અને એ ભવ્યત્વ ચરમાવર્તમાં પરિપાક પામે તેવું હોય છે. એ ભવ્યત્વ પરિપાક પામીને મોક્ષસ્વરૂપ ફળરૂપે પરિણમન પામે છે, માટે મોક્ષરૂપ કાર્ય પ્રત્યે ઉપાદાન કારણ ભવ્યત્વ છે, અને એ ભવ્યત્વ ચરમાવર્તમાં મોક્ષરૂપ કાર્યને અભિમુખ પરિણમન પામે તેવું છે, તેથી એ મુખ્ય હેતુ છે; અને ઉચિત ક્રિયા દ્વારા જીવમાં રહેલું ભવ્યત્વ વ્યાપારવાળું થાય ત્યારે તે ભવ્યત્વમાં રહેલી વ્યાપારતા એ યોગનું લક્ષણ છે. આ પ્રકારનું યોગનું લક્ષણ ગ્રંથકારશ્રીએ ૧૦મી બત્રીશીમાં સ્વસિદ્ધાંતની મર્યાદાને સામે રાખીને કર્યું, અને તેના તાત્પર્યને યથાર્થ જાણવા માટે પ્રસ્તુત ૧૧મી બત્રીશીમાં પ્રથમ શ્લોક પૂર્વે કહ્યું કે સ્વદર્શનના યોગનું લક્ષણ અન્ય દર્શનકારોના યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્થિર થાય છે, તેથી અન્ય દર્શનકાર એવા પતંજલિ ઋષિએ જે “ચિત્તવૃત્તિનિરોધ' એ યોગનું લક્ષણ કર્યું અને તેની પ્રાપ્તિનો ઉપાય અભ્યાસ અને વૈરાગ્ય છે તેમ કહ્યું, તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ થાય ત્યારે યોગની પ્રાપ્તિ થાય છે અને આ ચિત્તવૃત્તિનો નિરોધ સ્વસિદ્ધાંત પ્રમાણે કેવલજ્ઞાન વખતે થાય છે, ત્યાં સુધી યોગનો પ્રાદુર્ભાવ નથી, પરંતુ યોગના ઉપાયોનું સેવન છે; અને તે યોગના ઉપાયભૂત વૈરાગ્યમાં કરાતો યત્ન અને અભ્યાસમાં કરાતો યત્ન છે. સ્વદર્શનના લક્ષણ પ્રમાણે જીવમાં રહેલી મોક્ષમાં જવાની યોગ્યતાના પરિપાક માટે કરાતો યત્ન યોગ છે, તેથી ચરમાવર્તમાં આવેલો જીવ મોક્ષને અનુકૂળ ચતુદશરણગમન, દુષ્કતગર્તા અને સુકૃતાનુમોદના આદિ અનુષ્ઠાનોનું સેવન કરીને પોતાનામાં રહેલું ભવ્યત્વ પરિપાક પામે તેવો કોઈ પણ માર્ગાનુસારી યત્ન કરે તે સર્વ યોગ છે, માટે પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણની સાથે સ્વદર્શનના યોગના લક્ષણનો કોઈ વિરોધ નથી. ફક્ત પતંજલિ ઋષિએ મોક્ષની આસન્ન ભૂમિકાવાળા વ્યાપારને યોગ કહ્યો, અને તેના દૂરવર્તી વ્યાપારને યોગના ઉપાય તરીકે કહ્યો, આથી પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં યોગનું લક્ષણ કર્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy