SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ટીકાર્ય : તથા ૨ ..... વનિરોણાવિ, અને તે રીતે પૂર્વમાં સ્થાપન કર્યું તે રીતે, જૈનદર્શનનો જય સિદ્ધ થયે છતે, પ્રોક્ત લક્ષણ=પતંજલિ ઋષિ વડે કહેવાયેલ યોગનું લક્ષણ, કાયરોધાદિમાં અવ્યાપ્ત છે. કાયરોધાદિમાં ‘આદિ'થી વચનવિરોધાદિનું ગ્રહણ કરવું. અહીં પતંજલિ ઋષિ કાયરોધાદિમાં લક્ષણની અવ્યાપ્તિ દૂર કરવા માટે પરિષ્કાર કરીને રોધનો અર્થ એકાગ્રતા અવધિ સુધી કરે તો અન્ય શું દોષ આવે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે : પ્રતા .. વ્યાતિમ્ II અને એકાગ્રતાની અવધિ હોતે છતે=એકાગ્રતા અને નિરોધમાત્ર સાધારણ રોધ વાચ્ય હોતે છતે, પૂર્વમાં એકાગ્રતાના પૃષ્ઠભાવી અધ્યાત્માદિ શુદ્ધ એવા ચિત્તમાં, અવ્યાપ્ત છે=પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. ll૩૦ના * વનપ્રદ: - અહીં દિ થી એકાગ્રતાપૂર્વકની સમિતિઓનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પતંજલિ ઋષિએ કરેલ યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત - શ્લોક-૨૯માં કહ્યું તે રીતે પ્રત્યાત્મ ભિન્ન ભિન્ન કર્મ અને બુદ્ધિગુણવાળા સંસારી જીવો સ્વીકારવાથી સર્વ દોષરહિત જૈનદર્શનનો જય સિદ્ધ થાય છે, અને જૈનદર્શનનો જય સિદ્ધ થાય તો યોગનું લક્ષણ સુસંગત થાય છે, કેમ કે યોગનું સેવન કરીને નિરુપચરિત એવા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે; પરંતુ પતંજલિ ઋષિએ જે યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ કર્યું, તે લક્ષણ યોગમાં સુસંગત હોવા છતાં સર્વત્ર વ્યાપ્ત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ કર્યું, તેથી તે લક્ષણ ચિત્તરોધમાં સંગત હોવા છતાં કાયરોધમાં અને વાગરોધમાં તે લક્ષણ જતું નથી, વળી એકાગ્રતાપૂર્વકની સમિતિઓના પાલનમાં પણ યોગનું તે લક્ષણ જતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy