SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાબિંશિકા/શ્લોક-૨૪ સ્વાશ્રય એવા ચિત્તમાં પણ સવાદિ ધર્મોના ફલાધાનનો સંભવ હોવાથી જે સંહત્યકારી હોય તે પર માટે છે, એ નિયમ સ્વીકારમાં પ્રમાણનો અભાવ : સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય એવા ચિત્તમાં પણ ફળાધાન કરે છે, તેમ સ્વીકારી શકાય છે અર્થાત્ જેમ શવ્યા બીજાને ભોગરૂપ ફળ સંપાદન કરે છે, તેમ સત્ત્વાદિ ધર્મોના આશ્રય એવા ચિત્તને સત્ત્વાદિ ધર્મો ફળ પ્રાપ્ત કરાવે છે, તેમ સ્વીકારી શકાય છે. આશય એ છે કે સત્ત્વ, રજસું અને તમસુ ચિત્તના જે ધર્મો છે તે ધર્મોથી ચિત્તને (૧) રાગપરિણતિરૂપ ફળ થાય છે, કે (૨) દ્વેષપરિણતિરૂપ ફળ થાય છે, કે (૩) મોહપરિણતિરૂપ ફળ થાય છે, તેમ સ્વીકારી શકાય છે. જે સંહત્યકારી હોય તે પરના પ્રયોજન માટે છે, તેમ સ્વીકારવામાં કેમ પ્રમાણ નથી ? તેથી કહે છે :ચિત્તના સત્ત્વાદિધર્મોમાં સંહત્યકારીપણાનું આસનાદિ કરતાં વિલક્ષણપણું છે. આશય એ છે કે શય્યા, આસનાદિ સંહત્યકારી હોવા છતાં દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, અને ચિત્તના ધર્મોરૂપ સત્ત્વાદિમાં સંહત્યકારીપણું શયા, આસનાદિ જેવું નથી; અને તેવું ન માનો તો અસંહતરૂપ પરની અસિદ્ધિ થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર પણ માને છે કે શયા, આસનાદિ કોઈક દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, અને સત્ત્વાદિ ધર્મો સંહત્ય થઈનેએકઠા થઈને, અસંહતરૂપ એવા પુરુષના અર્થને કરનાર છે, તેથી જો સત્ત્વાદિમાં રહેલ સંહત્યકારીપણાને શય્યા, આસનાદિ તુલ્ય સ્વીકારવામાં આવે તો જેમ શય્યા, આસનાદિ સંહતરૂપવાળા એવા દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, તેમ સત્ત્વાદિમાં રહેલ સંહત્યકારીપણું પણ સંહિતરૂપવાળા એવા પરનું પ્રયોજન કરનાર છે, તેમ સ્વીકારી શકાય, પરંતુ સત્ત્વાદિમાં રહેલા સંહત્યકારીપણાના બળથી અસંહતરૂપ એવા પુરુષની સિદ્ધિ થઈ શકે નહિ; અને સાંખ્યદર્શનકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy