SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ “તસંધ્યેય ..... સંદરવી” રૂતિ | "તે=ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્ર પણ પરાર્થ છે કેમ કે સંહત્યકારીપણું છે." ત્તિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૪/૨૩ના કથનની સમાપ્તિ સૂચક છે. રવા ભાવાર્થ :સાંખ્યદર્શનકારના મતને સ્વીકારવાથી બુદ્ધિથી સંસારની દષ્ટ સર્વ વ્યવસ્થાની સંગતિ થઈ જતી હોવાથી કૃત્યાદિના આશ્રયરૂપે આત્માને સ્વીકાર્યા વગર આત્માની અસિદ્ધિઃ સાંખ્યદર્શનકાર પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારે છે, અને પુરુષ તો નિત્યયુક્ત છે તેમ કહે છે, અને કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે અનુભવાતા ચૈતન્યનો આશ્રય બુદ્ધિ છે, તેમ કહે છે, તેથી સાંખ્યદર્શનકારની માન્યતા પ્રમાણે બુદ્ધિથી સંસારની દૃષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થઈ જાય છે, તેથી આત્મા નામની કોઈ વસ્તુ નથી, તેમ સ્વીકારવાની સાંખ્યદર્શનકારને આપત્તિ આવશે; કેમ કે સંસારી જીવોમાં જે કૃત્યાદિ દેખાય છે અને ત્યાદિનું ફળ ભોગ દેખાય છે અથવા યોગસાધનાની કૃતિ દેખાય છે અને તે કૃતિનું ફળ અપવર્ગ છે, તેમ જે શાસ્ત્ર સ્વીકારે છે, તે સર્વ બુદ્ધિને આશ્રયીને સાંખ્યદર્શનકારના મત પ્રમાણે સંગત થઈ જાય છે, તેથી દૃષ્ટ વ્યવસ્થાના બળથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા નામનો પદાર્થ છે, તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ફક્ત કૃત્યાદિના આશ્રયરૂપે આત્માને સ્વીકારીએ તો જ શરીરાદિથી અતિરિક્ત આત્મા સિદ્ધ થાય છે, એમ ગ્રંથકારશ્રીને કહેવું છે. બુદ્ધિથી અતિરિક્ત આત્માની અનુમાન પ્રમાણ દ્વારા સાંખ્યદર્શનકારની સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં સાંખ્યદર્શનકાર કહે કે બુદ્ધિથી અતિરિક્ત આત્માને સ્વીકારવા માટે પારાÁનિયત સંહત્યકારિતા પ્રમાણ છે અર્થાત્ આત્મા કૃત્યાદિનો આશ્રય નથી, પરંતુ કૃત્યાદિનો આશ્રય બુદ્ધિ છે; અને તે બુદ્ધિ દ્વારા સકલ લોયાત્રાનો નિર્વાહ થાય છે, તોપણ અનુમાન પ્રમાણથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy