SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ૧૦૩ પુરુષમાં કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં શું બાધક છે ? અર્થાત્ કોઈ બાધક નથી; કેમ કે સર્વ લોકને અનુભવ છે કે હું ચૈતન્યરૂપ છું અને આ કૃતિ હું કરું છું અને આ કૃતિના ફળને હું ભોગવું છું. તેથી સર્વલોકના અનુભવને અનુરૂપ કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં કોઈ બાધક નથી; આમ છતાં સાંખ્યદર્શનકાર ચૈતન્યનો આશ્રય પુરુષ સ્વીકારે છે અને કૃત્યાદિનો આશ્રય પ્રકૃતિને સ્વીકારે છે, તે ભિન્ન આશ્રયનું સ્વીકારવું ઉચિત નથી. આત્મામાં ચૈતન્યની સાથે નૃત્યાદિનું સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આત્માને પરિણામી માનવાની આપત્તિ બાધક થશે, એ પ્રમાણે પૂર્વપક્ષી તરફથી દલીલ ઃ અહીં પૂર્વપક્ષી કહે કે પુરુષમાં ચૈતન્યની સાથે નૃત્યાદિનું સામાનાધિકરણ્ય સ્વીકારીએ તો આત્માને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે અને આત્મા પરિણામી નથી, તેથી આત્મામાં કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે ગ્રંથકારશ્રી તરફથી આત્માને પરિણામી સ્વીકારવા છતાં અન્વયી એવા નિત્ય આત્માની પ્રાપ્તિમાં અવિરોધની યુક્તિ : સાંખ્યદર્શનકારની પૂર્વમાં બતાવેલ યુક્તિ બરાબર નથી; કેમ કે આત્માને પરિણામી સ્વીકારવા છતાં પણ આત્માના અન્વયને સ્વીકારવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે આત્મા ત્રિકાળવર્તી છે, તેથી આત્માનો અન્વય સદા છે; અને આત્મા તે તે કૃતિઓ કરે છે અને તે તે કૃતિના ફળને પ્રાપ્ત કરે છે, તેથી જ્યારે આત્મા ભોગને અનુકૂળ મૃત્યાદિ કરીને સંસારનું સર્જન કરે છે, ત્યારે તે કૃતિના ફળરૂપે સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે; અને આત્મા જ્યારે યોગમાર્ગનું સેવન કરે છે અને તેનાથી સર્વ કર્મનો નાશ કરીને મુક્તિને પામે છે, ત્યારે યોગમાર્ગના સેવનરૂપ કૃતિના ફળને પ્રાપ્ત કરે છે, તે યુક્તિસંગત છે; અને તેમ સ્વીકારવામાં નિત્યપણાની હાનિ થતી નથી; અને તે તે મૃત્યાદિરૂપે અને તે તે મૃત્યાદિના ફળરૂપે આત્મા પરિણામી છે, તેમ સ્વીકારવામાં સંસાર અને મોક્ષ નિરુપચરિત ઘટે છે, અને આત્મા આત્મારૂપે નિત્ય પણ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy