SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ તો પ્રકૃતિને જડ સ્વીકારી શકાય નહિ. તેનું સમાધાન કરતાં પતંજલિ ઋષિ કહે છે -- 1. પ્રકૃતિમાં સ્વાભાવિક આનુલોમ્ય અને પ્રાતિલોખ્ય શક્તિથી પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું – પ્રકૃતિમાં સ્વાભાવિક બે શક્તિ છે : (૧) મહદાદિ પરિણામોની આનુલોમ્ય શક્તિ, અને (૨) મહદાદિ પરિણામોની પ્રાતિલોમ શક્તિ. આ સ્વાભાવિક પ્રકૃતિની શક્તિ એ પુમર્થનું કર્તવ્યપણું છે, અને આ બે સ્વાભાવિક શક્તિ પ્રકૃતિને પુરુષનું પ્રયોજન હોય છે ત્યારે છે, પરંતુ જ્યારે સાધના કરીને પુરુષ મુક્તિને પામે છે, ત્યારે પ્રકૃતિને પુરુષનું કોઈ પ્રયોજન રહેતું નથી, ત્યારે પ્રકૃતિમાં આ બે સ્વાભાવિક શક્તિઓ નથી. આમ કહેવાથી શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ જે આપત્તિ આપેલ કે પુરુષાર્થ મારે કરવો જોઈએ એવો અધ્યવસાય જડ પ્રકૃતિનો સંભવે નહિ, તે આપત્તિનું નિવારણ થાય છે; કેમ કે પ્રકૃતિ જડ હોવાને કારણે પુરુષાર્થ મારે કરવો જોઈએ, તેવો અધ્યવસાય નહિ હોવા છતાં, પ્રકૃતિમાં આ બે સહજ શક્તિ છે, તે જ પુરુષના પ્રયોજનનું કર્તવ્ય છે; અને આનુલોમ્યથી જે મહદાદિ પરિણામોની શક્તિ છે, તે પુરુષના ભોગસંપાદનનું કર્તવ્ય છે, અને પ્રાતિલોમ્યથી જે મહદાદિ પરિણામોની શક્તિ છે, તે પુરુષના અપવર્ગ સંપાદનનું કર્તવ્ય છે; અને પુરુષ યોગની સાધના કરે છે ત્યારે અંતે અસ્મિતા સમાધિ આવે છે, અને આ અસ્મિતા સમાધિકાળમાં બુદ્ધિ પોતાના કારણરૂપ પ્રકૃતિમાં લીન હોય છે અને યોગમાર્ગની સમાપ્તિ થાય છે, ત્યારે પુરુષનો અપવર્ગ થાય છે, તેથી પ્રકૃતિનું પુરુષને અપવર્ગ સંપાદન કરવાનું પ્રયોજન પૂર્ણ થાય છે, માટે પ્રકૃતિમાં રહેલ આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી. II૧૯I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy