SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ માટે દર્પણના અને જલાદિના દૃષ્ટાંતથી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, એમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેમાં હેતુ કહે છે -- સ્વસ્થિત ચિછાયા સદશ-પુરુષમાં રહેલી ચિછાયા સમાન ચિછાયાની અભિવ્યક્તિરૂપ પ્રતિબિંબનું પ્રતિબિંબાંતરથી વિલક્ષણપણું છે=દર્પણાદિમાં કે જલાદિમાં જે પ્રતિબિંબ પડે છે, તે પ્રતિબિંબાંતર કરતાં પુરુષનું સત્વમાં જે પ્રતિબિંબ પડે છે, તેનું વિલક્ષણપણું છે. એ પ્રમાણે ભોજ કહે છે. II૧૭ના કે અન્યત્ર અહીં ‘વ’ થી એ કહેવું છે કે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ થાય છે, ત્યાં પુરુષની છાયા સદશ ચિતૃછાયા બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે; પરંતુ અન્યત્ર પણ અન્યત્ર દર્પણાદિમાં પણ, જેનું પ્રતિબિંબ પડે છે, તેના સમાન છાયાંતરનો=અન્ય છાયાનો, ઉદ્ભવ દર્પણાદિમાં થાય છે. - વ્યાપસ્થાપ્યારી - અહીં ‘પ' થી એ કહેવું છે કે ઘટ-પટાદિ પદાર્થનું દર્પણાદિમાં પ્રતિબિંબ દેખાય છે, પરંતુ વ્યાપક એવા આકાશનું પણ દર્પણાદિમાં પ્રતિબિંબ દેખાય છે. જ વો - અહીં ગાદિથી દર્પણ જેવી પ્રતિબિંબ પડે તેવી અન્ય વસ્તુનું ગ્રહણ કરવું. નત્તાવો - અહીં ગરિ થી અપકૃષ્ટનિર્મળતાવાળી, જલ જેવી વસ્તુનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સંસારી જીવો જે ભોગ કરે છે, તે ભોગની પાતંજલ મતાનુસાર સંગતિ: સાંખ્યમતે પુરુષ કૂટનિત્ય છે, તેથી સાંખ્ય મતાનુસાર પુરુષ ભોક્તા નથી, તોપણ સંસારી જીવોને પોતે ભોગ કરે છે, એ અનુભવસિદ્ધ વસ્તુ છે, અને તેની સંગતિ કઈ રીતે થઈ શકે ? તે સાંખ્ય દર્શનકાર બતાવતાં કહે છે - પુરુષમાં રહેલી ચિતુછાયા સદશ ચિતુછાયા બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે, તે બુદ્ધિની સ્વકીય ચિતૂછાયા છે, અને તે ચિતૂછાયાની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ, એ જ પ્રતિબિંબાત્મક ભોગ છે. આશય એ છે કે બુદ્ધિ નિર્મળ છે, તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે એટલે પુરુષની ચિછાયા બુદ્ધિમાં પ્રવેશ પામતી નથી, પરંતુ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યંગ્ય એવી ચિછાયા અભિવ્યક્ત થાય છે, તે ચિછાયા બુદ્ધિની પોતાની છે, પુરુષની નથી, પરંતુ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં તે ચિતુછાયા અભિવ્યક્ત થયેલ છે. આ ચિછાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy